ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા કાર્યાલય દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સરકારના ઐતિહાસિક ૧૨ વર્ષ પૂર્ણ થવાના સુઅવસર પર "અવિરત ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના" અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજ રોજ ૫ જૂન – વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાલનપુર તાલુકા ભાજપ દ્વારા માલણ ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનના "એક પેડ માઁ કે નામ" ના આહ્વાનને સાર્થક કરવા અને પર્યાવરણના સંરક્ષણ અને જતન માટે પાલનપુર તાલુકાના માલણ ગામે આવેલા ઠાકોર સમાજના સ્મશાન ગૃહ ખાતે ગ્રીન કવર વધારવાના સંકલ્પ સાથે મોટી સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ વાવવામાં આવેલા તમામ છોડનું યોગ્ય રીતે ઉછેર અને જતન થાય તે માટેનું આયોજન પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. આ ગરિમામય કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પાલનપુર તાલુકા ભાજપ ના પ્રમુખ રમેશભાઈ પટેલ, ભગવાનભાઈ કુગશિયા, મનુભાઈ હાજીપુરા, અમીશપુરી ગોસ્વામી, જિલ્લા પંચાયતના ડેલીગેટ પ્રિયંકા બેન ચૌહાણ, જગદીશભાઈ પટેલ, દિનેશભાઈ જુઆ, ભરતભાઈ પરમાર, નરેશભાઈ કરણ, મેઘરજ ભાઇ ચૌધરી, વિપુલભાઈ, કિરણ ભાઈ રાવલ, કાર્યક્રમના ઇન્ચાર્જ રણજીતસિંહ રાણા સાથે કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.





