ડિજિટલ યુગમાં ઓનલાઈન છેતરપિંડીના વધતા કિસ્સાઓ વચ્ચે અરવલ્લી-મોડાસા સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે. 'તેરા તુજકો અર્પણ' અભિગમ હેઠળ પોલીસે સરાહનીય કામગીરી કરીને સાયબર ફ્રોડનો ભોગ બનેલા સાત નિર્દોષ નાગરિકોના ફસાયેલા કુલ ₹6,08,554/- પરત અપાવ્યા છે. અરજદારોએ નાણાં ગુમાવ્યાની ફરિયાદ કર્યા બાદ સાયબર પોલીસે ત્વરિત એક્શન લઈ બેંક ખાતાઓ ટ્રેસ કર્યા હતા અને છેતરપિંડી કરનારાઓ દ્વારા ટ્રાન્સફર કરાયેલી રકમ હોલ્ડ કરાવી દીધી હતી. આજે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી આ સમગ્ર રકમ મૂળ માલિકોના બેંક ખાતામાં જમા કરાવાતાં ભોગ બનનાર પરિવારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેમણે પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.
મોડાસા સાયબર સેલની મોટી સફળતા: છેતરાયેલા સાત અરજદારોના ₹6.08 લાખ ખાતામાં પાછા અપાવ્યા

સંબંધિત સમાચાર
અરવલ્લીઈડર મર્ડર મિસ્ટ્રી: ઝિંઝવા મહંત હત્યાકેસનો 7 મહિના બાદ ભેદ ઉકેલાયો, પાંચ આરોપીઓ ઝડપાયા
1 દિવસ પહેલા
અરવલ્લીઈડરના વૉર્ડ નં. ૩ ના રહીશો માટે કોમન પ્લોટની માંગ, ભીમ આર્મીએ આવેદનપત્ર પાઠવ્યું
2 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લી જિલ્લા પંચાયતમાં નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઈ
4 દિવસ પહેલા
અરવલ્લીજોખમી સફર: શામળાજી મેશ્વો ડેમ રોડ પર પ્રોટેક્શન વોલ ન હોવાથી અકસ્માતનો ભય
5 દિવસ પહેલા
