રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા27 મે, 2026| Super Admin

મહેસાણા મનપા ચૂંટણી હત્યા કેસ: મદદ કરનાર બે આરોપીઓના જામીન ના મંજૂર

મહેસાણા મનપા ચૂંટણી હત્યા કેસ: મદદ કરનાર બે આરોપીઓના જામીન ના મંજૂર

મહેસાણામાં મહાનગરપાલિકાની (મનપા) ચૂંટણી દરમિયાન બનેલી ચકચાર મચાવનારી ભાજપના ઉમેદવારના ભાણેજની હત્યાના મામલામાં અદાલતે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ સનસનીખેજ કેસમાં જેલમાં બંધ બે આરોપીઓ દ્વારા કરવામાં આવેલી રેગ્યુલર જામીન અરજીને નામદાર કોર્ટે ફગાવી દીધી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ચૂંટણીના સમયગાળા દરમિયાન થયેલી આ હત્યાના ગંભીર ગુનામાં મુખ્ય હત્યારાઓ ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. આ હત્યા કરી ભાગી છૂટેલા શખ્સોને આશરો આપવા અને કાયદાની ચુંગાલમાંથી બચવામાં મદદ કરવાના ગંભીર આરોપસર ચૌધરી પ્રતીક ભરતભાઈ અને ચૌધરી ધર્મેન્દ્ર ઉર્ફે ધીરુની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને આરોપીઓએ જેલમાંથી મુક્ત થવા માટે અદાલતમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી.

આ જામીન અરજી પરની સુનાવણી દરમિયાન રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ કેસ માટે ખાસ નિમણૂક કરવામાં આવેલા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર વિજયભાઈ બારોટે સરકાર પક્ષે મોરચો સંભાળ્યો હતો. તેમણે અદાલત સમક્ષ સચોટ અને ધારદાર દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે, આરોપીઓ પર મુખ્ય હત્યારાઓને મદદ કરવાનો ગંભીર ગુનો નોંધાયેલો છે. આવા સંવેદનશીલ અને ગંભીર કેસમાં જો આરોપીઓને જામીન આપવામાં આવે તો તેની તપાસ અને કાયદાકીય પ્રક્રિયા પર વિપરીત અસર પડી શકે છે.

બંને પક્ષોની રજૂઆતો સાંભળ્યા બાદ, અદાલતે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર વિજયભાઈ બારોટની કાયદાકીય દલીલોને ગ્રાહ્ય રાખી હતી. કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આરોપી ચૌધરી પ્રતીક ભરતભાઈ અને ચૌધરી ધર્મેન્દ્ર ઉર્ફે ધીરુની જામીન અરજી નામંજૂર કરી છે. કોર્ટના આ કડક વલણથી સ્પષ્ટ થાય છે કે ગુનેગારોને મદદગારી કરનારા તત્વો સામે પણ કાયદો પોતાની કડક કાર્યવાહી કરી રહ્યો છે. જામીન અરજી ફગાવી દેવાતા હવે આ બંને આરોપીઓએ આગળનો સમય પણ જેલના સળિયા પાછળ જ વિતાવવો પડશે.

 

સંબંધિત સમાચાર