રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા12 મે, 2026| Super Admin

મહેસાણાના નાગલપુરની ઝૂંપટપટ્ટીમાં ભીષણ આગ: 10થી વધુ ઝૂંપડાં બળીને ખાખ

મહેસાણાના નાગલપુરની ઝૂંપટપટ્ટીમાં ભીષણ આગ: 10થી વધુ ઝૂંપડાં બળીને ખાખ

શહેરના નાગલપુર વિસ્તારમાં આજે વહેલી સવારે આગની એક દુર્ઘટના સર્જાઈ હતી. અહીં આવેલી એક ઝૂંપટપટ્ટીમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગરીબ પરિવારોના આશિયાના સમાન દસેક જેટલા ઝૂંપડાં બળીને રાખ થઈ ગયા છે.વહેલી સવારે જ્યારે લોકો નિદ્રાધીન હતા અથવા વહેલી સવારની કામગીરીમાં વ્યસ્ત હતા, ત્યારે નાગલપુર વિસ્તારના ઝૂંપડાઓમાં અચાનક આગ લાગી હતી. સૂકા ઘાસ અને પ્લાસ્ટિકના તાડપત્રી જેવા જ્વલનશીલ પદાર્થોને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના ઝૂંપડાઓને ઝપેટમાં લીધા હતા.

આગના સમાચાર મળતા જ મહેસાણા મહાનગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરો અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચી યુદ્ધના ધોરણે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, જેને કારણે આગ વધુ ફેલાતી અટકી હતી. સદનસીબે કોઈ પણ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી. પરંતુ ઘર વખરીના માલમત્તાનું નુકસાન થયું છે. જ્યારે આશરે 10 જેટલા ઝૂંપડાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. ઝૂંપડામાં રાખેલ ઘરવખરી અને અનાજ જેવી ચીજવસ્તુઓ નાશ પામતા ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક તંત્ર દ્વારા હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. વહેલી સવારે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતાનું મોજું ફેરવી દીધું હતું.

સંબંધિત સમાચાર