જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા માં 28 પ્રવાસીઓના મોતને લઈને દેશભરમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ત્યારે પાલનપુરમાં આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આંતકી હુમલાના વિરોધમાં કલેકટરને આવેદન પત્ર આપી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરાયો હતો. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ધર્મ પૂછીને હિંદુ પ્રવાસીઓની ગોળી મારી આંતકવાદીઓ દ્વારા કરાયેલી હત્યાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. દેશભરનો હિંદુ સમાજ હચમચી ઉઠ્યો છે. ત્યારે આજે પાલનપુર કલેકટર કચેરીએ રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા આક્રોશ સાથે આવેદનપત્ર અપાયુ હતું. જેમાં હુમલો કરનારા આતંકીઓને ઝડપી લઈ ફાંસી આપવાની માંગ કરાઈ હતી. આ પ્રસંગે હિન્દુત્વવાદી સરકારને ડુંગળી બટાકા માટે નહીં પણ આંતકીઓને જડબાતોડ જવાબ આપવા માટે ખોબલે ખોબલે વોટ આપ્યા હોવાનું જણાવી તાકીદે આતંકીઓ સામે કઠોર પગલાં ભરવાની માંગ કરાઈ હતી.
બનાસકાંઠા24 એપ્રિલ, 2025
જમ્મુ-કાશ્મીર આંતકી હુમલાનો પાલનપુરમાં વિરોધ, આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદે આવેદનપત્ર આપ્યું

ટેગ્સ:#Palanpur#Jammu Kashmir#Terror attack#hindutva#Terrorism#migrants#Protests#security measures#Hindu Community#Religious Identity#Political Response#International Hindu Parishad#Rashtriya Bajrang Dal#National Outrage
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
37 મિનિટ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
1 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
