સમાજમાં છેલ્લા ઘણા સમયથી પ્રેમલગ્ન અને મૈત્રી સંબંધોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે હિન્દુ સંગઠનો દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સમાજ બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ લલિતજી વાઘેલાની અધ્યક્ષ સ્થાને શિહોરી ખાતે લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરવા માટે મિટિંગ યોજીને રેલી કાઢી હતી. જેમાં માતાપિતાની સંમતિ ફરજિયાત કરવા માટે સરકાર પાસે માંગ કરી છે. જોકે દીકરી જ્યારે ઉંમરલાયક થાય છે. ત્યારે કોઈ વ્યક્તિના પ્રેમમાં પડે છે અને સમાજમાં કે પછી કોઈ અન્ય સમાજના છોકરા સાથે લગ્ન કરી લે છે. જેને લઈ સમગ્ર ગુજરાતના જુદાજુદા જિલ્લા અને તાલુકામાં હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપી મૈત્રી કરાર રદ કરવા અને પ્રેમ લગ્નમાં માતાપિતાની સંમતિ ફરજિયાત કરવા માટે મિટીંગો અને રેલીઓ કાઢી માંગણીઓ કરી રહ્યા છે ત્યારે કાંકરેજ તાલુકા નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં આ મામલે સરકાર સુધી પહોંચાડવા માટે ખાત્રી આપી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં અઢારે આલમના લોકો હાજર રહ્યા હતા. અને મૈત્રી કરાર રદ કરવામાં આવે તેવા નારા લગાવ્યા હતા.
કાંકરેજમાં મૈત્રીકરાર રદ કરવા હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર અપાયું

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાના આંગણે ₹21 કરોડનું નવું નજરાણું: વેપાર અને સંસ્કૃતિનું હબ બનશે 'અર્બન હાટ'
2 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતીવાડાના ભીલાચલમાં એટીવીટી ગ્રાન્ટના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈંસ્પેક્ટર રાજ્યભરમાં શ્રેષ્ઠ કામગીરી
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા: ચડોતર બ્રિજ પર RTOની ગાડી ડિવાઈડર સાથે અથડાઈ, 3 કર્મીઓ ઇજાગ્રસ્ત
3 દિવસ પહેલા
