રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા25 સપ્ટેમ્બર, 2025| Super Admin

કાંકરેજમાં મૈત્રીકરાર રદ કરવા હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર અપાયું

કાંકરેજમાં મૈત્રીકરાર રદ કરવા હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર અપાયું

સમાજમાં છેલ્લા ઘણા સમયથી પ્રેમલગ્ન અને મૈત્રી સંબંધોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે હિન્દુ સંગઠનો દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સમાજ બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ લલિતજી વાઘેલાની અધ્યક્ષ સ્થાને શિહોરી ખાતે લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરવા માટે મિટિંગ યોજીને રેલી કાઢી હતી. જેમાં માતાપિતાની સંમતિ ફરજિયાત કરવા માટે સરકાર પાસે માંગ કરી છે. જોકે દીકરી જ્યારે ઉંમરલાયક થાય છે. ત્યારે કોઈ વ્યક્તિના પ્રેમમાં પડે છે અને સમાજમાં કે પછી કોઈ અન્ય સમાજના છોકરા સાથે લગ્ન કરી લે છે. જેને લઈ સમગ્ર ગુજરાતના જુદાજુદા જિલ્લા અને તાલુકામાં હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપી મૈત્રી કરાર રદ કરવા અને પ્રેમ લગ્નમાં માતાપિતાની સંમતિ ફરજિયાત કરવા માટે મિટીંગો અને રેલીઓ કાઢી માંગણીઓ કરી રહ્યા છે ત્યારે કાંકરેજ તાલુકા નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં આ મામલે સરકાર સુધી પહોંચાડવા માટે ખાત્રી આપી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં અઢારે આલમના લોકો હાજર રહ્યા હતા. અને મૈત્રી કરાર રદ કરવામાં આવે તેવા નારા લગાવ્યા હતા.    

સંબંધિત સમાચાર