રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા13 એપ્રિલ, 2025

બનાસકાંઠા જિલ્લાના 213 પરીક્ષા કેન્દ્રો ઉપર મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

બનાસકાંઠા જિલ્લાના 213 પરીક્ષા કેન્દ્રો ઉપર મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
ધોરણ આઠમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓએ પરીક્ષા આપી; બનાસકાંઠા જિલ્લામાં રાજય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા લેવામાં આવતી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા શનિવારે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી.ધોરણ 8 માં અભ્યાસ કરતાં કુલ 51050 વિધાર્થીઓએ નોંધણી કરાવી હતી. જ્યાં શનિવારે જિલ્લાના કુલ 213 કેન્દ્રો ઉપર 1824 બ્લોકમાં 41217 વિધાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતાં. જિલ્લાના કુલ 213 પરીક્ષા કેન્દ્રો ઉપર સવારે 11 થી 1:30 કલાકે યોજાયેલ પરીક્ષામાં 1824 બ્લોકમાં 41217 વિધાર્થી એટલે કે 80.74 ટકા વિધાર્થીઓ હાજર રહીને પરીક્ષા આપી હતી. બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી ડો.હિતેશ આર.પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ હતી.

સંબંધિત સમાચાર