ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે તેમના પરિવાર સાથે પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં તેમનું અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના પદાધિકારીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું. મા અંબાના દર્શન બાદ મીડિયા સાથે વાતચીત કરતા રૂપાણીએ જણાવ્યું કે, આવતીકાલથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. તેમણે દેશની પ્રગતિ માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી. https://youtu.be/UYQn76T5U6s ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે, આજે સહપરિવાર માતાજીના ચરણોમાં શીશ નમાવી દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી છે. દેશ નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં આગળ વધી રહ્યો છે. હાલ દિલ્હીમા ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યો છે, જેમાં શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ આગળ વધી રહી છે. એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, દિલ્હીમાં ભાજપની સરકાર બનશે. દેશની સાથે-સાથે દિલ્હીમાં પણ વિકાસને લઇ આગળ વધશે. દિલ્હીમાં કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ આ જનમદ છે. હવે દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલને જવાબ આપશે.
બનાસકાંઠા8 ફેબ્રુઆરી, 2025
યાત્રાધામ અંબાજી ખાતે પૂર્વ CM વિજય રૂપાણી એ કર્યા માં અંબાના દર્શન

સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
4 કલાક પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
1 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
