રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા23 મે, 2026| Super Admin

બહુચરાજીના હાંસલપુરમાં સ્ક્રેપના વાડામાં આગથી લાખોનું નુકસાન: અફરાતફરીનો માહોલ સર્જાયો

બહુચરાજીના હાંસલપુરમાં સ્ક્રેપના વાડામાં આગથી લાખોનું નુકસાન: અફરાતફરીનો માહોલ સર્જાયો

હાંસલપુર સ્થિત ટીપી રોડ પર આવેલા એક સ્ક્રેપના વાડામાં શુક્રવારે બપોરે આશરે ૨:૦૦ વાગ્યે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે આખો વાડો આગની લપેટમાં આવી ગયો હતો. આ અકસ્માતમાં લાખો રૂપિયાનો ભંગાર બળીને ખાખ થઈ ગયો હોવાનો પ્રાથમિક અંદાજ છે.

આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભય અને દહેશતનો માહોલ સર્જાયો હતો. આગની તીવ્રતા એટલી વધારે હતી કે રોડની સામેની બાજુએ પડેલા કચરાના ઢગલા પણ તેની ઝપેટમાં આવી ગયા હતા અને ત્યાં પણ આગ પ્રસરી ગઈ હતી.વસ્થાનિક લોકોના આક્ષેપ મુજબ, નજીકમાં ફાયર બ્રિગેડની તાત્કાલિક સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે સાંજ સુધી આગ સતત ધગધગતી રહી હતી. સ્થિતિ વણસતી જોઈને વાડાના માલિક દ્વારા ખાનગી પાણીના ટેન્કરો મંગાવીને આગ પર કાબૂ મેળવવાના ભગીરથ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે, આગનું સ્વરૂપ અત્યંત ભયાવહ હોવાથી તેને શાંત પાડવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થવાના સમાચાર સામે આવ્યા નથી, જે મોટી રાહતની વાત છે. પરંતુ, આગને કારણે થયેલું આર્થિક નુકસાન લાખોની મકાન પર પહોંચે તેવી પ્રબળ શક્યતા છે. આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

સંબંધિત સમાચાર