રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
મહેસાણા23 મે, 2026| Super Admin

બહુચરાજીના હાંસલપુરમાં સ્ક્રેપના વાડામાં આગથી લાખોનું નુકસાન: અફરાતફરીનો માહોલ સર્જાયો

બહુચરાજીના હાંસલપુરમાં સ્ક્રેપના વાડામાં આગથી લાખોનું નુકસાન: અફરાતફરીનો માહોલ સર્જાયો

હાંસલપુર સ્થિત ટીપી રોડ પર આવેલા એક સ્ક્રેપના વાડામાં શુક્રવારે બપોરે આશરે ૨:૦૦ વાગ્યે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે આખો વાડો આગની લપેટમાં આવી ગયો હતો. આ અકસ્માતમાં લાખો રૂપિયાનો ભંગાર બળીને ખાખ થઈ ગયો હોવાનો પ્રાથમિક અંદાજ છે.

આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભય અને દહેશતનો માહોલ સર્જાયો હતો. આગની તીવ્રતા એટલી વધારે હતી કે રોડની સામેની બાજુએ પડેલા કચરાના ઢગલા પણ તેની ઝપેટમાં આવી ગયા હતા અને ત્યાં પણ આગ પ્રસરી ગઈ હતી.વસ્થાનિક લોકોના આક્ષેપ મુજબ, નજીકમાં ફાયર બ્રિગેડની તાત્કાલિક સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે સાંજ સુધી આગ સતત ધગધગતી રહી હતી. સ્થિતિ વણસતી જોઈને વાડાના માલિક દ્વારા ખાનગી પાણીના ટેન્કરો મંગાવીને આગ પર કાબૂ મેળવવાના ભગીરથ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે, આગનું સ્વરૂપ અત્યંત ભયાવહ હોવાથી તેને શાંત પાડવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થવાના સમાચાર સામે આવ્યા નથી, જે મોટી રાહતની વાત છે. પરંતુ, આગને કારણે થયેલું આર્થિક નુકસાન લાખોની મકાન પર પહોંચે તેવી પ્રબળ શક્યતા છે. આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

સંબંધિત સમાચાર