રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા23 મે, 2026| Super Admin

બહુચરાજીના હાંસલપુરમાં સ્ક્રેપના વાડામાં આગથી લાખોનું નુકસાન: અફરાતફરીનો માહોલ સર્જાયો

બહુચરાજીના હાંસલપુરમાં સ્ક્રેપના વાડામાં આગથી લાખોનું નુકસાન: અફરાતફરીનો માહોલ સર્જાયો

હાંસલપુર સ્થિત ટીપી રોડ પર આવેલા એક સ્ક્રેપના વાડામાં શુક્રવારે બપોરે આશરે ૨:૦૦ વાગ્યે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે આખો વાડો આગની લપેટમાં આવી ગયો હતો. આ અકસ્માતમાં લાખો રૂપિયાનો ભંગાર બળીને ખાખ થઈ ગયો હોવાનો પ્રાથમિક અંદાજ છે.

આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભય અને દહેશતનો માહોલ સર્જાયો હતો. આગની તીવ્રતા એટલી વધારે હતી કે રોડની સામેની બાજુએ પડેલા કચરાના ઢગલા પણ તેની ઝપેટમાં આવી ગયા હતા અને ત્યાં પણ આગ પ્રસરી ગઈ હતી.વસ્થાનિક લોકોના આક્ષેપ મુજબ, નજીકમાં ફાયર બ્રિગેડની તાત્કાલિક સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે સાંજ સુધી આગ સતત ધગધગતી રહી હતી. સ્થિતિ વણસતી જોઈને વાડાના માલિક દ્વારા ખાનગી પાણીના ટેન્કરો મંગાવીને આગ પર કાબૂ મેળવવાના ભગીરથ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે, આગનું સ્વરૂપ અત્યંત ભયાવહ હોવાથી તેને શાંત પાડવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થવાના સમાચાર સામે આવ્યા નથી, જે મોટી રાહતની વાત છે. પરંતુ, આગને કારણે થયેલું આર્થિક નુકસાન લાખોની મકાન પર પહોંચે તેવી પ્રબળ શક્યતા છે. આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

સંબંધિત સમાચાર