- હોમ
- /Uncategorized
- /દાંતીવાડા ડેમમાંથી ખેડૂતોને 3 પિયત માટે પાણી અપાશે : હાલમાં કેનલોની સફાઈ કામગીરી પુરજોશમાં
દાંતીવાડા ડેમમાંથી ખેડૂતોને 3 પિયત માટે પાણી અપાશે : હાલમાં કેનલોની સફાઈ કામગીરી પુરજોશમાં

સિંચાઈ વિભાગ દ્વારા દાંતીવાડા ડેમમાંથી ખેડૂતોને શિયાળુ સીઝનમાં; પાણી આપવાનો નિર્ણય લેવામાં આવતાં હાલમાં નહેરોની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં ચાલું સીઝન દરમિયાન ૫૮૪ ફુટ પાણીનુ લેવલ હોવાથી ખેડૂતોને શીયાળુ સિઝનમાં પિયત માટે પાણી આપવાનો નિર્ણય લેવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળે છે.સિંચાઈ વિભાગ દ્વારા પાલનપુર ડીસા પાટણ સિદ્ધપુર સરસ્વતી સહિતના તાલુકાના ખેડૂતોને ડેમ થકી સિંચાઈનો લાભ મળે છે.
ગઢ બ્રાન્ચ કેનાલ સિંચાઈ પીયત મંડળી સંઘના મંત્રી અશોકભાઈ થેભાતે જણાવ્યું હતું કે
ગઢ બ્રાન્ચ કેનાલ મારફતે પાલનપુર સિધ્ધપુર પાટણ અને સરસ્વતી તાલુકાના ખેડૂતોને ત્રણ હજાર હેક્ટર જમીન વિસ્તારમાં પીયત માટે સિંચાઈનો લાભ મળે છે ત્યારે તા ૧૫ નવેમ્બર આસપાસ પાણી છોડવાનો નિર્ણય કરાયો છે જેમાં કુલ ૩ પિયત રોટેસન નક્કી થયેલ હોવાનું જાણવા મળ્યું છે.
સંબંધિત સમાચાર
Uncategorizedજસ્ટિસ મનમોહને રાજ નિવાસ ખાતે દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા
1 વર્ષ પહેલા
Uncategorizedમધ્યપ્રદેશના ખંડવામાં મશાલ સરઘસમાં ભીષણ આગ 30થી વધુ લોકો દાઝી ગયા
1 વર્ષ પહેલા
Uncategorizedમહારાષ્ટ્રના ગોંદિયામાં અકસ્માત બસ પલટી જતાં 9 મુસાફરોના મોત 25 ઘાયલ
1 વર્ષ પહેલા
Uncategorizedબનાસકાંઠા જિલ્લામાં પણ ઠંડી નો પારો બે થી ત્રણ ડિગ્રી ગગડવાની શક્યતાઓ
1 વર્ષ પહેલા
