રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા6 જૂન, 2026| Super Admin

વીજ સપ્તાહ ઉજવણી: ભાભરમાં યુજીવીસીએલની જનજાગૃતિ રેલી

વીજ સપ્તાહ ઉજવણી: ભાભરમાં યુજીવીસીએલની જનજાગૃતિ રેલી

યુજીવીસીએલ દ્વારા તા.૧/૬ /૨૬ થી તા.૭/૬/૨૬ સુધી  વીજ સલામતી સપ્તાહ ઉજવવામાં આવે છે. તેથી ભાભર  યુજીવીસીએલ તરફથી તા.0૬/0૬/૨૬ ના રોજ વીજ સલામતી રેલીનું સુંદર  આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ભાભરના  ગ્રાહકોને વીજ સલામતી અંગેની જાગૃતતા કેળવવા માટે જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવેલા હતા. ભાભર યુજીવીસીએલ કર્મચારીઓ દ્વારા હાથમાં બેનરો વિવિધ લખાણો વાળા હાથમાં લઈને શહેરના મેઇન વિસ્તારો રેલી ફરી હતી. જેવા કે આપના ઘરમાં તથા દુકાનોમાં વીજ અકસ્માત ટાળવા માટે ઇએલસીબી અથવા R.C.C.B સ્વીચનો ઉપયોગ હંમેશા કરવો જેથી આપના ઘરમાં કોઈ અકસ્માત થાય તો સ્વીચ તરત જ બંધ થાય છે તથા અકસ્માત થતો અટકી જાય છે. 

આપના ઘરમાં પાકો અર્થીંગ કરાવો તથા આપના બાળકોને સ્વિચ પ્લગ થી દૂર રાખવા નમ્ર અપીલ કરવામાં આવે છે. આપના ખેતરમાં પાકને પશુઓથી બચાવવા માટે ક્યારેય પણ વીજ પ્રવાહ ધાતુના તારમાં પસાર કરવો નહીં, વીજ લાઈન નીચે ક્યારેય પણ બાંધકામ કરવું નહીં, આપના ઘરમાં તૂટેલી સ્વીચો તથા પ્લગ બદલી દેવા, ભીના કપડાં સૂકવવા માટે ઈલેક્ટ્રીક થાંભલા સાથે ધાતુનો વાયર બાંધી વરગણી માટે ઉપયોગ કરવો નહીં, આપના પશુઓને લાઈટ ના થાંભલા સાથે બાંધવા નહીં, વીજ લાઈનમાં ફસાયેલ પતંગ ને કાઢવા માટે ક્યારેય પણ પ્રયત્ન કરવો નહીં, આપના ઘરમાં તથા દુકાનોમાં આઈએસઆઈ માર્કા વાળા વીજ ઉપકરણો નો ઉપયોગ કરવો, જેવી  સલામતિ  રાખવા માટે જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા હતા.જેથી નાની ભૂલથી પણ ક્યારેક પણ મોટો વીજ અક્સ્માત થતો અટકાવી શકાય તેવું રેલી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સમગ્ર રેલીનું આયોજન ભાભર સબ ડિવિઝન નાયબ ઈજનેર આર. એ. ગોહિલ અને લાઈન સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતુ.

ટેગ્સ:#bhabhar#UGVCL

સંબંધિત સમાચાર