ઈદ-ઉલ-ફિત્ર પ્રસંગે મૌલાના ઇમરાને પોતાના સંદેશમાં દેશમાં કાયદા-કાનૂનમાં સમાનતા અને સામાજિક એકતાનો સંદેશ આપ્યો હતો. રમઝાન માસ દરમિયાન 29 રોજા પૂર્ણ થયા બાદ રવિવારે ચાંદ દેખાતા પાટણ સહિત ગુજરાતમાં સોમવારે મુસ્લિમ બિરાદરો એ ઈદની ઉજવણી કરી હતી. ઇસ્લામ ધર્મમાં રમઝાન માસને સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ માસમાં હજરત મોહમ્મદ પયગંબર (સ.અ.વ.) પર પવિત્ર કુરાન નાઝિલ થયું હતું. આ તહેવાર કૃતજ્ઞતા, એકતા અને ભાઈચારાનું પ્રતીક છે. રોજા રાખવા, દાન કરવું અને ઈબાદત કરવાનું રમઝાન માસમાં વિશેષ મહત્વ હોય છે.પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઈદ-ઉલ-ફિત્રની ભવ્ય ઉજવણી કરવામાં આવી

કોમી એખલાસ વચ્ચે રાજકીય-સામાજિક આગેવાનોએ ઈદની મુબારકબાદી પાઠવી; પાટણ શહેર અને જિલ્લામાં રમઝાન માસની પૂર્ણા હુતિ નિમિત્તે રવિવારે ચાંદના દિદાર થતાં સોમવારે ઈદ-ઉલ-ફિત્રની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સિદ્ધિ સરોવર સામે આવેલ ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત મુસ્લિમ બિરાદરો ને મૌલાના સિદ્દીકે નમાજ અદા કરાવી હતી.
આ પવિત્ર પ્રસંગે ઈદગાહ ખાતે પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મુસ્લિમ સમાજને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. ઈદ-ઉલ-ફિત્ર ની નમાજ દરમ્યાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા દ્રારા શહેરની ઈદગાહ સહિતની મસ્જિદોમાં તેમજ જિલ્લાની વિવિધ મસ્જિદોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી કાયદો વ્યવસ્થા જાળવી હતી.
ઈદ-ઉલ-ફિત્ર પ્રસંગે મૌલાના ઇમરાને પોતાના સંદેશમાં દેશમાં કાયદા-કાનૂનમાં સમાનતા અને સામાજિક એકતાનો સંદેશ આપ્યો હતો. રમઝાન માસ દરમિયાન 29 રોજા પૂર્ણ થયા બાદ રવિવારે ચાંદ દેખાતા પાટણ સહિત ગુજરાતમાં સોમવારે મુસ્લિમ બિરાદરો એ ઈદની ઉજવણી કરી હતી. ઇસ્લામ ધર્મમાં રમઝાન માસને સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ માસમાં હજરત મોહમ્મદ પયગંબર (સ.અ.વ.) પર પવિત્ર કુરાન નાઝિલ થયું હતું. આ તહેવાર કૃતજ્ઞતા, એકતા અને ભાઈચારાનું પ્રતીક છે. રોજા રાખવા, દાન કરવું અને ઈબાદત કરવાનું રમઝાન માસમાં વિશેષ મહત્વ હોય છે.
ઈદ-ઉલ-ફિત્ર પ્રસંગે મૌલાના ઇમરાને પોતાના સંદેશમાં દેશમાં કાયદા-કાનૂનમાં સમાનતા અને સામાજિક એકતાનો સંદેશ આપ્યો હતો. રમઝાન માસ દરમિયાન 29 રોજા પૂર્ણ થયા બાદ રવિવારે ચાંદ દેખાતા પાટણ સહિત ગુજરાતમાં સોમવારે મુસ્લિમ બિરાદરો એ ઈદની ઉજવણી કરી હતી. ઇસ્લામ ધર્મમાં રમઝાન માસને સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ માસમાં હજરત મોહમ્મદ પયગંબર (સ.અ.વ.) પર પવિત્ર કુરાન નાઝિલ થયું હતું. આ તહેવાર કૃતજ્ઞતા, એકતા અને ભાઈચારાનું પ્રતીક છે. રોજા રાખવા, દાન કરવું અને ઈબાદત કરવાનું રમઝાન માસમાં વિશેષ મહત્વ હોય છે.ટેગ્સ:#Patan city#local news#security measures#Community Celebration#Social Leaders#political leaders#Brotherhood#Eid-ul-Fitr#Ramadan#Communal Harmony#Religious Observance#Islamic Festival#Charity and Fasting
સંબંધિત સમાચાર
પાટણપદ્મનાભ મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ વચ્ચે જન્માષ્ટમીની ઉજવણી
21 કલાક પહેલા
પાટણપાટણમાં ગટર લાઈન રિપેરિંગને પગલે પાલિકા દ્વારા પાણી કાપ મુકાયો
21 કલાક પહેલા
પાટણસિદ્ધપુર પાસે કાર બેકાબૂ: અકસ્માતમાં ૧૬ વર્ષના કિશોરનું કમકમાટીભર્યું મોત
21 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના ખોલવાડામાં સામાન્ય બાબતે કાવડયાત્રીઓ પર 4 શખ્સોએ હુમલો કર્યો
2 દિવસ પહેલા
