રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ31 માર્ચ, 2025| Super Admin

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઈદ-ઉલ-ફિત્રની ભવ્ય ઉજવણી કરવામાં આવી

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઈદ-ઉલ-ફિત્રની ભવ્ય ઉજવણી કરવામાં આવી
કોમી એખલાસ વચ્ચે રાજકીય-સામાજિક આગેવાનોએ  ઈદની મુબારકબાદી પાઠવી; પાટણ શહેર અને જિલ્લામાં રમઝાન માસની પૂર્ણા હુતિ નિમિત્તે રવિવારે ચાંદના દિદાર થતાં સોમવારે ઈદ-ઉલ-ફિત્રની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સિદ્ધિ સરોવર સામે આવેલ ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત મુસ્લિમ બિરાદરો ને મૌલાના સિદ્દીકે નમાજ અદા કરાવી હતી. આ પવિત્ર પ્રસંગે ઈદગાહ ખાતે પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મુસ્લિમ સમાજને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. ઈદ-ઉલ-ફિત્ર ની નમાજ દરમ્યાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા દ્રારા શહેરની ઈદગાહ સહિતની મસ્જિદોમાં તેમજ જિલ્લાની વિવિધ મસ્જિદોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી કાયદો વ્યવસ્થા જાળવી હતી. ઈદ-ઉલ-ફિત્ર પ્રસંગે મૌલાના ઇમરાને પોતાના સંદેશમાં દેશમાં કાયદા-કાનૂનમાં સમાનતા અને સામાજિક એકતાનો સંદેશ આપ્યો હતો. રમઝાન માસ દરમિયાન 29 રોજા પૂર્ણ થયા બાદ રવિવારે ચાંદ દેખાતા પાટણ સહિત ગુજરાતમાં સોમવારે મુસ્લિમ બિરાદરો એ ઈદની ઉજવણી કરી હતી. ઇસ્લામ ધર્મમાં રમઝાન માસને સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ માસમાં હજરત મોહમ્મદ પયગંબર (સ.અ.વ.) પર પવિત્ર કુરાન નાઝિલ થયું હતું. આ તહેવાર કૃતજ્ઞતા, એકતા અને ભાઈચારાનું પ્રતીક છે. રોજા રાખવા, દાન કરવું અને ઈબાદત કરવાનું રમઝાન માસમાં વિશેષ મહત્વ હોય છે.

સંબંધિત સમાચાર