ગુજરાત સહિત દેશભરમાં 14 મેની મોડી રાત્રે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો છે. આ ભાવવધારાથી પેટ્રોલમાં પ્રતિ લિટર રૂ. 2.99 અને ડીઝલમાં પ્રતિ લિટર રૂ. 3.09 નો વધારો નોંધાયો છે.કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા આ વધારા બાદ રાજ્યભરમાં ઇંધણના ભાવ નવી ઊંચાઈએ પહોંચ્યા છે. પેટ્રોલમાં રૂ. 2.99ના વધારા સાથે નવો ભાવ રૂ. 97.50 થયો છે, જ્યારે ડીઝલમાં રૂ. 3.09ના વધારા સાથે તેનો ભાવ રૂ. 93.29 પર પહોંચી ગયો છે.સામાન્ય રીતે ઇંધણના ભાવમાં ફેરફાર મધરાત્રે 12 વાગ્યાથી અમલી બને છે.
જોકે, આ વખતે રાત્રે 3 વાગ્યે પંપ સંચાલકોને સૂચના આપી તાત્કાલિક અસરથી નવા ભાવ લાગુ કરાયા હતા. આ અચાનક લેવાયેલા નિર્ણયથી વહેલી સવારે પેટ્રોલ પંપ પર પહોંચેલા વાહનચાલકોમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું.ભાવ વધારાની જાહેરાત બાદ પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અસામાન્ય પરિસ્થિતિ સર્જાઈ હતી. પાટણના કેટલાક પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ 'પંપ બંધ છે' તેવા બોર્ડ લગાવી દેવાયા હતા, જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.ઇંધણના ભાવમાં સીધો રૂ. 3 જેટલો વધારો થવાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાની અને તેની સીધી અસર જીવન જરૂરી ચીજવસ્તુ ઓના ભાવ પર પડવાની શક્યતા છે. વહેલી સવારે પેટ્રોલ પુરાવવા આવેલા ગ્રાહકોએ આ ભાવ વધારા અંગે પોતાની જુદી જુદી પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી હતી.તો હારીજ મા પણ સાત પેટ્રોલ પંપો પૈકીના પાચ પંપો ઉપર પેટ્રોલ-ડીઝલનું વેચાણ બંધ હોવાના બોડૅ લાગેલ જોવા મળતા વાહન ચાલકોની મુશ્કેલીઓ વધી હતી.





