રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા24 ઑગસ્ટ, 2025| Super Admin

ડીસાના માલગઢ ગાયત્રી સંસ્કાર કેન્દ્ર દ્વારા શ્રાવણ માસની અનોખી ભક્તિ

ડીસાના માલગઢ ગાયત્રી સંસ્કાર કેન્દ્ર દ્વારા શ્રાવણ માસની અનોખી ભક્તિ
શ્રાવણ માસના યજ્ઞોની પૂર્ણાહુતિ બાદ સંસ્કાર કેન્દ્ર ખાતે ૧૧ કુંડી યજ્ઞનું આયોજન થયું શ્રાવણ માસમાં શિવની ભક્તિ કરવાનો અનેરો મહિમા રહેલો છે. ત્યારે માલગઢ ગાયત્રી સંસ્કાર કેન્દ્ર દ્વારા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવની અનોખી ભક્તિ કરતાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ૫૫ ઘરોમાં ગાયત્રી મહાયજ્ઞ કરી શિવ આરાધનાની અલખ જગાવી હતી. ત્યારે શ્રાવણ માસના યજ્ઞોની પૂર્ણાહુતિ બાદ માલગઢના ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ખાતે ૧૧ કુંડી યજ્ઞ યોજાયો હતો ગાયત્રી પરીવાર માલગઢ દ્રારા અષાઢ મહિનામાં એક સંકલ્પ કર્યો હતો કે શ્રાવણ મહિના માં સળંગ કોઈપણ એક  ઘરે યજ્ઞ કરવો તે મુજબ શ્રાવણ માસ દરમિયાન ગાયત્રી પરિવાર માલગઢ દ્વારા ૫૫ ઘરોમાં યજ્ઞ કરી શિવ પૂજા ની અનોખી ભક્તિની જ્યોત જગાવી હતી. એક મહિના દરમિયાન અલગ અલગ ઘરોમાં ૫૫ યજ્ઞ સંપન્ન થઈ શક્યા હતા. જે અનુસંધાને ભાદરવા સુદ એકમના દિવસે ગાયત્રી સંસ્કાર માલગઢ ખાતે ૧૧  કુંડી યજ્ઞ થયો હતો.  જેમના ગૃહે યજ્ઞ થયા તેમને સાદર આમંત્રિત કરીને સામૂહિક ૧૧  કુંડી યજ્ઞમાં પુર્ણાહુતિ પ્રસંગે હાજરી આપી. શ્રદ્ધાળુઓએ ધાર્મિક વિધિવિધાન અનુસાર યજ્ઞમાં આહૂતિઓ અર્પણ કરી ભોજનપ્રસાદ ગ્રહણ કર્યું હતું.

સંબંધિત સમાચાર