ડીસાના માલગઢ ગાયત્રી સંસ્કાર કેન્દ્ર દ્વારા શ્રાવણ માસની અનોખી ભક્તિ

શ્રાવણ માસના યજ્ઞોની પૂર્ણાહુતિ બાદ સંસ્કાર કેન્દ્ર ખાતે ૧૧ કુંડી યજ્ઞનું આયોજન થયું
શ્રાવણ માસમાં શિવની ભક્તિ કરવાનો અનેરો મહિમા રહેલો છે. ત્યારે માલગઢ ગાયત્રી સંસ્કાર કેન્દ્ર દ્વારા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવની અનોખી ભક્તિ કરતાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ૫૫ ઘરોમાં ગાયત્રી મહાયજ્ઞ કરી શિવ આરાધનાની અલખ જગાવી હતી. ત્યારે શ્રાવણ માસના યજ્ઞોની પૂર્ણાહુતિ બાદ માલગઢના ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ખાતે ૧૧ કુંડી યજ્ઞ યોજાયો હતો
ગાયત્રી પરીવાર માલગઢ દ્રારા અષાઢ મહિનામાં એક સંકલ્પ કર્યો હતો કે શ્રાવણ મહિના માં સળંગ કોઈપણ એક ઘરે યજ્ઞ કરવો તે મુજબ શ્રાવણ માસ દરમિયાન ગાયત્રી પરિવાર માલગઢ દ્વારા ૫૫ ઘરોમાં યજ્ઞ કરી શિવ પૂજા ની અનોખી ભક્તિની જ્યોત જગાવી હતી. એક મહિના દરમિયાન અલગ અલગ ઘરોમાં ૫૫ યજ્ઞ સંપન્ન થઈ શક્યા હતા. જે અનુસંધાને ભાદરવા સુદ એકમના દિવસે ગાયત્રી સંસ્કાર માલગઢ ખાતે ૧૧ કુંડી યજ્ઞ થયો હતો. જેમના ગૃહે યજ્ઞ થયા તેમને સાદર આમંત્રિત કરીને સામૂહિક ૧૧ કુંડી યજ્ઞમાં પુર્ણાહુતિ પ્રસંગે હાજરી આપી. શ્રદ્ધાળુઓએ ધાર્મિક વિધિવિધાન અનુસાર યજ્ઞમાં આહૂતિઓ અર્પણ કરી ભોજનપ્રસાદ ગ્રહણ કર્યું હતું.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાબાળકોને ચારિત્ર્યના પાઠ ભણાવતો શિક્ષક જ નીકળ્યો હનીટ્રેપનો મુખ્ય સૂત્રધાર..!
23 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં "જય રણછોડ માખણ ચોર" નો નાદ ગુંજી ઉઠ્યો
23 કલાક પહેલા
બનાસકાંઠાકુંપટ ગામે શીતળા સાતમે ભક્તિમય માહોલ, માતાજીના દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ
23 કલાક પહેલા
બનાસકાંઠાલાખણીના ગેળા ગામે જર્જરિત વીજ થાંભલો, વીજ વિભાગની ગંભીર બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ
23 કલાક પહેલા
