રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા30 જાન્યુઆરી, 2025| Super Admin

ભાભરને બનાસકાંઠામાં રાખવા અને દિયોદરને ઓગડ જિલ્લો જાહેર કરવાની માંગ

ભાભરને બનાસકાંઠામાં રાખવા અને દિયોદરને ઓગડ જિલ્લો જાહેર કરવાની માંગ
શહેરમાં લાગેલા બેનરો રાતોરાત ઉતરી જતા એલાનને લઈ ઉત્તેજના છવાઈ; બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને વિરોધનો વંટોળ વધી રહ્યો છે. જિલ્લાના ધાનેરા, કાંકરેજ અને દિયોદર તાલુકા બાદ હવે ભાભર તાલુકામાં પણ વિરોધ પ્રદર્શનની તૈયારીઓ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પોસ્ટ મુજબ, આવતીકાલે 30 જાન્યુઆરીએ ભાભરમાં સંપૂર્ણ બંધનું એલાન આપવામાં આવ્યું છે અને સાથે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક લોકોની માગણી છે કે દિયોદરને નવો ઓગડ જિલ્લો બનાવવામાં આવે તો ભાભર તાલુકાને પણ તેમાં સમાવવામાં આવે અથવા તો ભાભરને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે. આ માગણીઓને લઈને આવતીકાલે મોટી સંખ્યામાં લોકો મહારેલીમાં જોડાશે તેવી શક્યતા છે. જિલ્લા વિભાજનના મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ તાલુકાઓમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, જે દર્શાવે છે કે સ્થાનિક લોકો અને રાજકીય નેતાઓ આ નિર્ણયથી નારાજ છે. આ વિરોધ પ્રદર્શનો શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે. જો કે એલાનને લઈ સ્થાનિક લોકો અજાણ હોવાનો દાવો કરે છે. તેથી એલાનને લઈ જિલ્લાભરમાં ઉત્તેજના છવાઈ છે. આગેવાનોનું થરાદ- વાવ જિલ્લાને સમર્થન; આ બાબતે ભાભર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરિભાઈ આચાર્ય અને ભાજપ અગ્રણી પ્રવિણભાઇ સોનીએ એક સુરે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના વિભાજનની છેલ્લા ઘણા સમયથી માંગ થતી હતી. તેને ધ્યાને લઇ સરકારે નવા થરાદ- વાવ જિલ્લાની જાહેરાત કરી છે તેને અમારું સમર્થન છે. રહી વાત કાલની રેલી અને બંધના એલાનની તો આ અંગે અમો કંઈ જાણતાં નથી.બેનરો કોણે લગાવ્યા ? તે પણ કોઈ જાણતું નથી.તેથી અમો આ રેલી કે બંધમાં જોડાવાના નથી અને આ મુદ્દે અમો વહીવટી તંત્ર અને સરકારમાં પણ રજુઆત કરીશું.

સંબંધિત સમાચાર