રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ25 મે, 2026| Super Admin

ચાણસ્માના મંડલોપમાં ખેતરમાં ચારો ચરતા 8 પશુઓના મોતથી અરેરાટી વ્યાપી

ચાણસ્માના મંડલોપમાં ખેતરમાં ચારો ચરતા 8 પશુઓના મોતથી અરેરાટી વ્યાપી

ખોરાકી ઝેરની આશંકા, પશુ તબીબોએ પોસ્ટમોર્ટમ કર્યું, પશુપાલક માથે આભ ફાટ્યું

ચાણસ્મા તાલુકાના મંડલોપ ગામ નજીક હાઇવે માર્ગ પર આવેલી સીમમાં ચારો ચરવા ગયેલા 8 પશુઓના ખોરાકી ઝેર (ફૂડ પોઇઝનિંગ)ની અસરના કારણે ટપોટપ મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાને પગલે પશુપાલક પરિવાર સહિત સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી ગઈ છે.

મંડલોપ ગામના પશુપાલક મનુ નટા ઠાકોરના પશુઓ ચાણસ્મા હાઇવે માર્ગ પર આવેલા એક ખેતરમાં ચારો ચરવા માટે ગયા હતા. તે દરમિયાન ચારો ચરતી વખતે અચાનક પશુઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી, જેના કારણે એક પછી એક પશુઓ જમીન પર ઢળી પડ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમના મોત નિપજ્યા હતા.મૃત્યુ પામેલા પશુઓમાં 6 ગાંભણ ભેંસ અને 2 નાના પાડાનો સમાવેશ થાય છે. આ ઘટના દરમિયાન અન્ય 4 ભેંસોનો આબાદ બચાવ થયો હતો.

ઘટનાની જાણ થતાં જ પશુ ચિકિત્સકોની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પશુ ચિકિત્સક ડો. જીગર ચૌધરીએ જણાવ્યું હતું કે,પ્રાથમિક તપાસ અને તારણ મુજબ પશુઓના મોત ખોરાકી ઝેરની અસરના કારણે થયા હોવાનું જણાઈ રહ્યું છે. બચેલી 4 ભેંસોને સમયસર પ્રાથમિક સારવાર આપી દેવામાં આવી છે.મૃત્યુ પામેલા પશુઓનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરાઈ છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતના ચોક્કસ કારણની પુષ્ટિ થઈ શકશે.એક સાથે 8 પશુઓના અકાળે મોત થવાના કારણે પશુપાલક પરિવાર પાયમાલ થઈ ગયો છે. પશુપાલકના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં તેમને રૂ. 6 લાખથી વધુનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.જીવનનિર્વાહના મુખ્ય સાધન સમાન પશુઓ ગુમાવતા પીડિત પરિવારે સરકાર સમક્ષ વહેલી તકે યોગ્ય વળતર અને આર્થિક સહાય ચૂકવવાની માંગ કરી છે.

ટેગ્સ:#Chansma

સંબંધિત સમાચાર