વાવ શહેરના મુખ્ય વિસ્તાર એવા ચારડીયાવાસ શેરીના નાકા પાસે આવેલા વેણવાસ વિસ્તારના સધીમાતાના મંદિર પાસે એક જોખમી વીજ પોલની લાઇન રહેણાંક મકાનના ઉપરથી પસાર થઈ રહી છે. આ જોખમી વિજપોલનો પસાર થતો 11.કે.વી ના વીજ વાયરનો લોકોને ભય સતાવી રહ્યો છે.જે સંદર્ભે વેણ વાસના જાગૃત યુવકે જવાબદાર યુ.જી.વી.સી.એલની કચેરીમાં લેખિત મૌખિક વારંવાર રજૂઆતો કરવા છતાં તેમની વાતને ધ્યાને લેવાતી નથી. જો કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ તો જવાબદારી વીજ તંત્રની રહેશે તેવું રહીશો સોસીયલ મીડિયામાં જણાવી રહ્યા છે. જોકે વીજતંત્રની ઘોર બેદરકારીને લીધે વાવ શહેર જે 15 હજાર ની જનસંખ્યા ધરાવતું શહેર હોવા છતાં 43 ડીગ્રીમાં પણ વિના કારણોસર વીજળીનો પુરવઠો ખોરંભે ચડે છે. વિના કારણે દિવસ કાળઝાળ ગરમીમાં બે થી ત્રણ વખત વીજ પુરવઠો બંધ થઈ જાય છે. લોકોની રાડ ફરિયાદ કોઈ સાંભળતું નથી.
વાવના વેણવાસમાં જોખમી વીજપોલને કારણે અકસ્માતનો ભય; અન્ય સ્થળે ખસેડવા ઉગ્ર લોકમાંગ

સંબંધિત સમાચાર
વાવ-થરાદવાવ-થરાદ અપહરણ કેસમાં પોલીસને મોટી સફળતા: ફરાર આરોપીઓ કચ્છમાંથી ઝડપાયા
4 કલાક પહેલા
વાવ-થરાદસુઈગામ પોલીસ એક્શનમાં: યુવકના અપહરણ મામલે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ
1 દિવસ પહેલા
વાવ-થરાદથરા નજીક અકસ્માત: વડાના પરા પાસે ખાદ્યતેલના ડબા ભરેલી ટ્રક પલટી
1 દિવસ પહેલા
વાવ-થરાદથરાદ સેસન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: જૂની અદાવતનો કરુણ અંત, આરોપીને આજીવન કેદ
1 દિવસ પહેલા
