વાવ શહેરના મુખ્ય વિસ્તાર એવા ચારડીયાવાસ શેરીના નાકા પાસે આવેલા વેણવાસ વિસ્તારના સધીમાતાના મંદિર પાસે એક જોખમી વીજ પોલની લાઇન રહેણાંક મકાનના ઉપરથી પસાર થઈ રહી છે. આ જોખમી વિજપોલનો પસાર થતો 11.કે.વી ના વીજ વાયરનો લોકોને ભય સતાવી રહ્યો છે.જે સંદર્ભે વેણ વાસના જાગૃત યુવકે જવાબદાર યુ.જી.વી.સી.એલની કચેરીમાં લેખિત મૌખિક વારંવાર રજૂઆતો કરવા છતાં તેમની વાતને ધ્યાને લેવાતી નથી. જો કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ તો જવાબદારી વીજ તંત્રની રહેશે તેવું રહીશો સોસીયલ મીડિયામાં જણાવી રહ્યા છે. જોકે વીજતંત્રની ઘોર બેદરકારીને લીધે વાવ શહેર જે 15 હજાર ની જનસંખ્યા ધરાવતું શહેર હોવા છતાં 43 ડીગ્રીમાં પણ વિના કારણોસર વીજળીનો પુરવઠો ખોરંભે ચડે છે. વિના કારણે દિવસ કાળઝાળ ગરમીમાં બે થી ત્રણ વખત વીજ પુરવઠો બંધ થઈ જાય છે. લોકોની રાડ ફરિયાદ કોઈ સાંભળતું નથી.
વાવના વેણવાસમાં જોખમી વીજપોલને કારણે અકસ્માતનો ભય; અન્ય સ્થળે ખસેડવા ઉગ્ર લોકમાંગ

સંબંધિત સમાચાર
વાવ-થરાદથરાદ નર્મદા કેનાલમાં આત્મહત્યાની શંકા: યુવાને ઝંપલાવતા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ
1 દિવસ પહેલા
વાવ-થરાદભાભર તાલુકાના તનવાડ ગામે વાવાઝોડામાં મૃત્યુ પામેલ મહિલાના પરિવારને રૂ. 4 લાખની સહાય
5 દિવસ પહેલા
વાવ-થરાદમાવસરી દારૂ પ્રકરણ : PI લીવ રિઝર્વમાં અને હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ, એસપીની કડક કાર્યવાહી
6 દિવસ પહેલા
વાવ-થરાદભાભર મુકામે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્વારા સેવાભાવિ સંસ્થાઓનું સન્માન
6 દિવસ પહેલા
