વાવ શહેરના મુખ્ય વિસ્તાર એવા ચારડીયાવાસ શેરીના નાકા પાસે આવેલા વેણવાસ વિસ્તારના સધીમાતાના મંદિર પાસે એક જોખમી વીજ પોલની લાઇન રહેણાંક મકાનના ઉપરથી પસાર થઈ રહી છે. આ જોખમી વિજપોલનો પસાર થતો 11.કે.વી ના વીજ વાયરનો લોકોને ભય સતાવી રહ્યો છે.જે સંદર્ભે વેણ વાસના જાગૃત યુવકે જવાબદાર યુ.જી.વી.સી.એલની કચેરીમાં લેખિત મૌખિક વારંવાર રજૂઆતો કરવા છતાં તેમની વાતને ધ્યાને લેવાતી નથી. જો કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ તો જવાબદારી વીજ તંત્રની રહેશે તેવું રહીશો સોસીયલ મીડિયામાં જણાવી રહ્યા છે. જોકે વીજતંત્રની ઘોર બેદરકારીને લીધે વાવ શહેર જે 15 હજાર ની જનસંખ્યા ધરાવતું શહેર હોવા છતાં 43 ડીગ્રીમાં પણ વિના કારણોસર વીજળીનો પુરવઠો ખોરંભે ચડે છે. વિના કારણે દિવસ કાળઝાળ ગરમીમાં બે થી ત્રણ વખત વીજ પુરવઠો બંધ થઈ જાય છે. લોકોની રાડ ફરિયાદ કોઈ સાંભળતું નથી.
વાવના વેણવાસમાં જોખમી વીજપોલને કારણે અકસ્માતનો ભય; અન્ય સ્થળે ખસેડવા ઉગ્ર લોકમાંગ

સંબંધિત સમાચાર
વાવ-થરાદરાહમાં વધતી અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા CCTV કેમેરા લગાવવા માંગ
4 કલાક પહેલા
વાવ-થરાદથરા પોલીસની રેડ: તેરવાડા સીમમાં જુગારનો અડ્ડો ઝડપાયો
5 કલાક પહેલા
વાવ-થરાદભાભરની શ્રીનાથ સોસાયટીના મકાનમાંથી રૂ.૩.૩૦ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
5 કલાક પહેલા
વાવ-થરાદવાવના હરિયાસર માતાજી મંદિર માર્ગ: વર્ષથી તૂટેલું નાળું ન રિપેર થતાં ભક્તોમાં રોષ
5 કલાક પહેલા
