બનાસકાંઠા જિલ્લામાંથી જગતના તાત એટલે કે આપણા ખેડૂત ભાઈઓ માટે ભારે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને અનેક વિસ્તારોના આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે, જેના કારણે કમોસમી વરસાદની સંભાવના વધી ગઈ છે. વિગતો મુજબ જિલ્લાના મુખ્ય મથક પાલનપુર સહિત વડગામ, દાંતીવાડા, ડીસા, ધાનેરા અને કાંકરેજ પંથકમાં વહેલી સવારથી જ સૂર્યનારાયણના દર્શન થયા નથી અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અત્યારે ખેતરોમાં મગફળી અને બાજરીના પાકની લણણીનો સમય ચાલી રહ્યો છે, બરાબર એ જ સમયે વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા છે. સ્થિતિ એવી છે કે જાણે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો હોય તેવો ભય સતાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, હજુ એક દિવસ અગાઉ જ પડેલા કમોસમી વરસાદને કારણે જિલ્લાના અનેક ખેડૂતોની ખેતરમાં પડેલી મગફળી અને બાજરી પલડી ગઈ હતી, ત્યાં આજે ફરી વાદળો ઘેરાતા ખેડૂતોનો જીવ તાળવે ચોંટ્યો છે. જો હવે વરસાદ પડશે તો તૈયાર પાક સંપૂર્ણ નષ્ટ થઈ જવાની ભીતિ છે.
બનાસકાંઠામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ, કમોસમી વરસાદની આશંકાથી ખેડૂતો ચિંતામાં

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપની અને ખેડૂતો સાથે રૂ. ૩૫.૭૬ લાખની છેતરપિંડી
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના સમૌ ગામે કરિયાણાની દુકાનમાં રૂ. ૧.૦૨ લાખના પોષડોડા સહિતના મુદ્દામાલ સાથે એક ઝડપાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુર પાલિકા કચેરીમાં પાન-મસાલા ખાઈને થૂંકવા પર રૂ. ૫૦૦નો દંડ
2 દિવસ પહેલા
બનાસકાંઠાઓપરેશન ‘નયન સોની’: 1400 કિમી દૂરથી આજીવન કેદના પેરોલ ફરારીને ઝડપી પાડ્યો
2 દિવસ પહેલા
