કેન્દ્ર સરકારની ઓનલાઈન દવા વેચાણની નીતિ (E-Pharmacy) સામે દેશવ્યાપી વિરોધના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના કેમિસ્ટોએ આરપારની લડાઈના મંડાણ કર્યા છે. સાબરકાંઠા કેમિસ્ટ એસોસિએશનના આહવાનને પગલે આજે સમગ્ર જિલ્લામાં વ્યાપક અસર જોવા મળી હતી અને હિંમતનગર, ઇડર, પ્રાંતિજ સહિતના વિસ્તારોમાં અંદાજે ૮૪૦ જેટલા મેડિકલ સ્ટોર્સના શટર સજ્જડ બંધ રહ્યા હતા. ઓનલાઈન દવા વેચાણથી સ્થાનિક નાના વેપારીઓની રોજીરોટી પર સંકટ અને નકલી દવાઓના જોખમ અંગે વેપારીઓએ એકત્રિત થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે, એકસાથે તમામ દવાની દુકાનો બંધ રહેતા દર્દીઓ અને તેમના સગા વ્હાલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
કેમિસ્ટોની હડતાળ: સાબરકાંઠામાં ૮૪૦ દવાની દુકાનો બંધ રાખી કલેક્ટરને અપાયું આવેદન

ટેગ્સ:#sabarkantha
સંબંધિત સમાચાર
સાબરકાંઠા'હર ઘર તિરંગા': જિલ્લા કચેરીઓમાં ગુંજ્યું 'વંદે માતરમ'
7 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા SOGની મોટી સફળતા: ૬ વર્ષથી નાસતો ફરતો પ્રોહિબિશનના ગુનાનો આરોપી હિંમતનગર ઝડપાયો
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર સિવિલ સર્કલથી દુર્ગા બજાર વચ્ચેના નવા બ્રિજ પર ચાર વિશાળ સ્ટીલ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં તિરંગા અને કળશયાત્રાનો માહોલ: 11થી 16 ઓગસ્ટ દરમિયાન ભાજપ વિશેષ કાર્યક્રમો યોજશે
5 દિવસ પહેલા
