કેન્દ્ર સરકારની ઓનલાઈન દવા વેચાણની નીતિ (E-Pharmacy) સામે દેશવ્યાપી વિરોધના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના કેમિસ્ટોએ આરપારની લડાઈના મંડાણ કર્યા છે. સાબરકાંઠા કેમિસ્ટ એસોસિએશનના આહવાનને પગલે આજે સમગ્ર જિલ્લામાં વ્યાપક અસર જોવા મળી હતી અને હિંમતનગર, ઇડર, પ્રાંતિજ સહિતના વિસ્તારોમાં અંદાજે ૮૪૦ જેટલા મેડિકલ સ્ટોર્સના શટર સજ્જડ બંધ રહ્યા હતા. ઓનલાઈન દવા વેચાણથી સ્થાનિક નાના વેપારીઓની રોજીરોટી પર સંકટ અને નકલી દવાઓના જોખમ અંગે વેપારીઓએ એકત્રિત થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે, એકસાથે તમામ દવાની દુકાનો બંધ રહેતા દર્દીઓ અને તેમના સગા વ્હાલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
કેમિસ્ટોની હડતાળ: સાબરકાંઠામાં ૮૪૦ દવાની દુકાનો બંધ રાખી કલેક્ટરને અપાયું આવેદન

ટેગ્સ:#sabarkantha
સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠાના ભોલેશ્વર અને સપ્તેશ્વર મહાદેવ મંદિરે સ્વચ્છતા અભિયાન યોજાયું
12 કલાક પહેલા
સાબરકાંઠાઈડર નાગરિક સહકારી બેંકમાં 'ગુલાબ પેનલ'નો ઐતિહાસિક વિજય: નવા સુકાનીઓની સર્વાનુમતે વરણી
12 કલાક પહેલા
સાબરકાંઠાહિંમતનગર સોસાયટીમાં વીજ મીટરમાં આગ લાગી; UGVCLની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી
3 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં ત્રણ માસની માસૂમ બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર
3 દિવસ પહેલા
