સાબરકાંઠા જિલ્લાના ગ્રામસેવકો પોતાની લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓને લઈને ઉગ્ર આંદોલનના મૂડમાં આવી ગયા છે. જિલ્લાના ગ્રામસેવકોએ પોતાની વિવિધ વ્યાજબી માંગણીઓ સંદર્ભે તંત્રને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે.
મળતી માહિતી મુજબ, જો આગામી સમયમાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો સાબરકાંઠાના કુલ 132 ગ્રામસેવકો આગામી 2 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ગ્રામસેવકોના આ નિર્ણયથી સરકારી કામકાજ પર અસર પડવાની સંભાવના સેવાઈ રહી છે, જેના કારણે તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે.





