પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર ગામમાં છેલ્લા 10 થી 15 દિવસથી દૂધ ડેરી બંધ રહેતા ગામના પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે દૂધ વેચાણ પર આધારિત અનેક પરિવારોની રોજિંદી આવક પર સીધી અસર પડી રહી છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.
ગામના પશુપાલકોનું કહેવું છે કે ડેરી બંધ હોવાથી દૂધ વેચવા માટે દૂર દૂર સુધી જવું પડે છે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં વધારો થયો છે. ઘણા નાના પશુપાલકો માટે આ સ્થિતિ આર્થિક રીતે ભારે સાબિત થઈ રહી છે ગ્રામજનોમાં એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે ગામના અમુક લોકો વચ્ચેની ઈર્ષા અને ડેરીનો કબ્જો મેળવવાની રાજનીતિને કારણે જ દૂધ ડેરી બંધ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે જોકે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી ડેરી બંધ રહેતા ગામમાં દૂધ વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ ગઈ છે અને પશુપાલકોમાં ભારે અસંતોષ ફેલાયો છે ગ્રામજનોએ તાત્કાલિક ડેરી ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે, જેથી ગામના પશુપાલકોને રાહત મળી શકે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો પશુપાલકો દ્વારા ઉગ્ર રજૂઆત અને વિરોધ કરવામાં આવી શકે છે.





