રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા27 ફેબ્રુઆરી, 2025| Super Admin

થરાદની મુખ્ય કેનાલમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો

થરાદની મુખ્ય કેનાલમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો

થરાદ તાલુકામાં નર્મદાની મુખ્ય કેનાલમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. સણધર પુલ પાસે કેનાલમાં મૃતદેહ દેખાતા સ્થાનિક લોકોએ તરત જ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડના નેતૃત્વમાં ટીમે મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. યુવકની ઓળખ થઈ શકી નથી. તેના શરીર પરથી કોઈ ઓળખપત્ર કે અન્ય પુરાવા મળ્યા નથી. મૃતક યુવકના જમણા હાથમાં માત્ર એક ચાંદીનું કડું પહેરેલું મળી આવ્યું છે. ફાયર બ્રિગેડે મૃતદેહને થરાદ પોલીસને સોંપી દીધો છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. યુવકની ઓળખ અને મૃત્યુના કારણો અંગે તપાસ ચાલી રહી છે.

સંબંધિત સમાચાર