રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
વાવ-થરાદ13 જુલાઈ, 2026| Super Admin

થરાદ મુખ્ય નર્મદા કેનાલમાંથી બે યુવકોના મૃતદેહ મળ્યા, આપઘાતનું કારણ અકબંધ

થરાદ મુખ્ય નર્મદા કેનાલમાંથી બે યુવકોના મૃતદેહ મળ્યા, આપઘાતનું કારણ અકબંધ

વાવ અને થરાદના બે મિત્રોના મોતથી અરેરાટી; આપઘાતનું કારણ અકબંધ

વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકામાં મહાજનપુરા પમ્પિંગ સ્ટેશન પાસે આવેલી મુખ્ય નર્મદા કેનાલમાં યુવકોએ ઝંપલાવ્યાની ઘટનામાં આજે વહેલી સવારે બંને યુવકોના મૃતદેહ ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. રાત્રિના અંધારાને કારણે શોધખોળ સ્થગિત રાખ્યા બાદ સવારે ફરીથી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમે લાંબી શોધખોળ બાદ બંને યુવકોના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ પરિવારજનોની હાજરીમાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

 પ્રાથમિક માહિતી મુજબ, મૃતકોમાં એક યુવક વાવ તાલુકાનો અને બીજો થરાદ તાલુકાનો હોવાનું જાણવા મળ્યું છે. બંને પરસ્પર મિત્રો હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, બંને યુવકોએ કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું ? તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પોલીસે સમગ્ર ઘટનામાં અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ટેગ્સ:#tharad#Narmada canal

સંબંધિત સમાચાર