વડનગર તાલુકાના શાહપુર (વડ) ગામે વર્ષો જૂની અદાવતની આંચ ફરી એકવાર હિંસક અથડામણમાં ફેરવાઈ છે. ગામમાં ચાલતી જૂની દુશ્મનાવટના કારણે ચાર શખ્સોએ હુમલો કરી ત્રણ લોકો પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ વડે તૂટી પડીને ત્રણ વ્યક્તિઓને લોહીલુહાણ કરી દીધા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે ભોગ બનનાર પક્ષે વડનગર પોલીસ મથકે ચાર શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
વડનગરના શાહપુર (વડ) ગામે લોહીયાળ જંગ: જૂની અદાવતમાં એક જ પરિવારના 3 લોકો પર જીવલેણ હુમલો

ટેગ્સ:#Vadnagar
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણામાં ખનીજ માફિયાઓનો બેફામ:ગેરકાયદે રેતીના ડમ્પરો પકડતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર પર હુમલો
7 કલાક પહેલા
મહેસાણાબહુચરાજી તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની વરણી
7 કલાક પહેલા
મહેસાણાબહુચરાજી પંથકમાં અરેરાટી: ચાંદણકીના પટેલ દંપતીનું પાલનપુર પાસે માર્ગ અકસ્માતમાં મોત
7 કલાક પહેલા
મહેસાણાવિજાપુરમાં બેકાબૂ કાર ચાલકે બાઈક અને એક્ટિવાને અડફેટે લીધા: અકસ્માતમાં ૨ મોત, ૮ ઘાયલ
7 કલાક પહેલા
