વડનગર તાલુકાના શાહપુર (વડ) ગામે વર્ષો જૂની અદાવતની આંચ ફરી એકવાર હિંસક અથડામણમાં ફેરવાઈ છે. ગામમાં ચાલતી જૂની દુશ્મનાવટના કારણે ચાર શખ્સોએ હુમલો કરી ત્રણ લોકો પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ વડે તૂટી પડીને ત્રણ વ્યક્તિઓને લોહીલુહાણ કરી દીધા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે ભોગ બનનાર પક્ષે વડનગર પોલીસ મથકે ચાર શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
વડનગરના શાહપુર (વડ) ગામે લોહીયાળ જંગ: જૂની અદાવતમાં એક જ પરિવારના 3 લોકો પર જીવલેણ હુમલો

ટેગ્સ:#Vadnagar
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણાના ગોઝારિયામાં હાઇવે પ્રોજેક્ટનો વિરોધ : 25 ફૂટના અંડરપાસ માટે કેન્દ્રીય મંત્રીને રજુઆત
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા ફ્રૂટ માર્કેટમાં ભીષણ આગ: કેરી ભરેલી ટ્રક અને ગોડાઉનો બળીને ખાખ
1 દિવસ પહેલા
મહેસાણાવિસનગરમાં ભવ્ય 'મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ' ખુલ્લો મુકાયો
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણામાં એમ.ડી. ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા રાજસ્થાનના આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી
1 દિવસ પહેલા
