વડનગર તાલુકાના શાહપુર (વડ) ગામે વર્ષો જૂની અદાવતની આંચ ફરી એકવાર હિંસક અથડામણમાં ફેરવાઈ છે. ગામમાં ચાલતી જૂની દુશ્મનાવટના કારણે ચાર શખ્સોએ હુમલો કરી ત્રણ લોકો પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ વડે તૂટી પડીને ત્રણ વ્યક્તિઓને લોહીલુહાણ કરી દીધા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે ભોગ બનનાર પક્ષે વડનગર પોલીસ મથકે ચાર શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
વડનગરના શાહપુર (વડ) ગામે લોહીયાળ જંગ: જૂની અદાવતમાં એક જ પરિવારના 3 લોકો પર જીવલેણ હુમલો

ટેગ્સ:#Vadnagar
સંબંધિત સમાચાર
મહેસાણારાધનપુરના સુખપુરા વિસ્તારમાં નવા સીસી રોડના કામ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો
12 કલાક પહેલા
મહેસાણાઊંઝા મામલતદારનો સપાટો: ઉનાવામાં નિયમભંગ બદલ રેશનિંગની દુકાન સીલ કરાઈ
12 કલાક પહેલા
મહેસાણાવિજાપુરમાં મધ્યાહન ભોજન યોજનામાં કૌભાંડ: સંચાલકોને સસ્પેન્ડ કરી લાખો રૂપિયાના દંડની ફટકાર
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણામાં ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને બે મિત્રો સાથે ૩ લાખ રૂપિયાની છેતરપિંડી
1 દિવસ પહેલા
