વડનગર તાલુકાના શાહપુર (વડ) ગામે વર્ષો જૂની અદાવતની આંચ ફરી એકવાર હિંસક અથડામણમાં ફેરવાઈ છે. ગામમાં ચાલતી જૂની દુશ્મનાવટના કારણે ચાર શખ્સોએ હુમલો કરી ત્રણ લોકો પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ વડે તૂટી પડીને ત્રણ વ્યક્તિઓને લોહીલુહાણ કરી દીધા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે ભોગ બનનાર પક્ષે વડનગર પોલીસ મથકે ચાર શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
વડનગરના શાહપુર (વડ) ગામે લોહીયાળ જંગ: જૂની અદાવતમાં એક જ પરિવારના 3 લોકો પર જીવલેણ હુમલો

ટેગ્સ:#Vadnagar
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણામાં NEET પરીક્ષા કૌભાંડ મામલે ભારે હોબાળો: આમ આદમી પાર્ટીએ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હલ્લાબોલ કર્યો
2 દિવસ પહેલા
મહેસાણાકડીના બુડાસણ ગામે LCB પોલીસ ત્રાટકી, નકલી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણામાં ₹1 કરોડથી વધુના સાઇબર ફ્રોડ કેસમાં પત્નીના નામે કૌભાંડ કરનાર આરોપીના જામીન નામંજૂર
2 દિવસ પહેલા
મહેસાણાઊંઝા APMCના સહયોગથી દિવ્યાંગોને ટ્રાય-સાયકલનું વિતરણ
2 દિવસ પહેલા
