વડનગર તાલુકાના શાહપુર (વડ) ગામે વર્ષો જૂની અદાવતની આંચ ફરી એકવાર હિંસક અથડામણમાં ફેરવાઈ છે. ગામમાં ચાલતી જૂની દુશ્મનાવટના કારણે ચાર શખ્સોએ હુમલો કરી ત્રણ લોકો પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ વડે તૂટી પડીને ત્રણ વ્યક્તિઓને લોહીલુહાણ કરી દીધા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે ભોગ બનનાર પક્ષે વડનગર પોલીસ મથકે ચાર શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
વડનગરના શાહપુર (વડ) ગામે લોહીયાળ જંગ: જૂની અદાવતમાં એક જ પરિવારના 3 લોકો પર જીવલેણ હુમલો

ટેગ્સ:#Vadnagar
સંબંધિત સમાચાર
મહેસાણાઉંઝા એપીએમસીમાં જીરાની ૨૦ હજાર બોરીની આવકો નોંધાઈ
3 કલાક પહેલા
મહેસાણાઉનાવા APMCમાં ₹5.99 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો; 3 રીઢા તસ્કરો ઝડપાયા
3 કલાક પહેલા
મહેસાણાઊંઝા નગરપાલિકામાં પ્રમુખ પદ માટે જંગ: બે પૂર્વ મહિલા પ્રમુખો સામસામે મેદાનમાં
4 કલાક પહેલા
મહેસાણાઊંઝામાં તસ્કરોનો આતંક: અંબિકા સોસાયટીના બંધ મકાનમાંથી ₹10.66 લાખની ચોરી
1 દિવસ પહેલા
