રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા1 મે, 2026| Super Admin

બનાસકાંઠા: ભગવો લહેરાયો, હવે 'તાજ' માટે જંગ !

બનાસકાંઠા: ભગવો લહેરાયો, હવે 'તાજ' માટે જંગ !

‘બ્રહ્મ સમાજ’ પર પસંદગીની મહોર વાગવાની શક્યતા

​બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં ૩૦ વર્ષ બાદ મોટો ઉલટફેર જોવા મળ્યો છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું છે. ૪૮ બેઠકો પૈકી ૩૧ બેઠકો પર જીત મેળવી ભાજપે સત્તા કબજે કરી છે. હવે સૌની નજર જિલ્લા પંચાયત પ્રમુખના તાજ પર છે, જે આ વખતે બિન અનામત સામાન્ય વર્ગ માટે ફાળવવામાં આવી છે. ​સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રમુખ પદ માટે બ્રહ્મ સમાજના નેતાઓનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે. જેમાં બે મુખ્ય નામો ચર્ચામાં છે.​વસંત પુરોહિત ધાનેરાના પૂર્વ ધારાસભ્ય અને વ્યવસાયે એડવોકેટ. તેઓ સંગઠનનો બહોળો અનુભવ ધરાવે છે અને સિનિયર નેતા તરીકે પ્રથમ હરોળમાં છે તેમજ 

​અલ્પેશ જોષી મુડેઠા બેઠકના વિજેતા અને યુવા નેતા. તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતા આર.ડી. જોષીને ૪૦૦૦ થી વધુ મતોથી હરાવી પોતાની તાકાત બતાવી છે. ​૩૦ વર્ષ બાદ મળેલી આ ઐતિહાસિક જીતને વધાવવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખાસ પાલનપુર બેઠક કરી હતી તેઓ અંબાજીના દર્શન કરી ચડોતર સ્થિત 'કમલમ' ખાતે કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.જો કે પ્રમુખના નામ પર અંતિમ મહોર પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા મારવામાં આવશે.​તેમ સૂત્રોએ જણાવ્યું હતુ.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર