બનાસકાંઠા જિલ્લામાંથી દ્વારકા માટે સીધી એસટી બસની માંગ ઉઠી

પાટણ ડેપો દ્વારા સિદ્ધપુર પાટણ બહુચરાજી દ્રારકા નવો એસટી રૂઢ શરૂ કરાયો
પાલનપુર ડીવિઝન દ્રારા પણ બનાસકાંઠા માર્ગે પરથી દ્રારકા જવા બસ શરૂ કરાશે ખરી ?
સિધ્ધપુરથી વાયા પાટણ બહુચરાજી દ્રારકા માટે વધુ એક એસટી બસ સેવા શરૂ થઇ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા વાસીઓ માટે દ્વારકા જવા માટેનો સીધો એસ.ટી લાભ ક્યારે મળશે તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જિલ્લાના ડીસા, ભીલડી, શિહોરી, થરા અને ધાનેરા વિસ્તારોના પ્રજાજનોને દ્વારકા જેવા પવિત્ર ધામે જવા સીધી એસટી સુવિધા હજુ સુધી ઉપલબ્ધ નથી, જેના કારણે લોકોમાં અસંતોષ વ્યાપ્યો છે.
સ્થાનિકોનું કહેવું છે કે હાલ શરૂ કરાયેલી સિદ્ધપુર–દ્વારકા બસને વાયા પાલનપુર ડીસા રાધનપુર અને રાપર માર્ગે દોડાવવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના હજારો યાત્રાળુઓને સીધો લાભ મળી શકે. ખાસ કરીને તહેવારો અને રજાઓ દરમિયાન દ્વારકા જવા માટે લોકોને અન્ય જિલ્લાઓમાં જઈ બસ પકડવી પડે છે.
પ્રજાજનો દ્વારા રાજ્ય સરકાર અને ગુજરાત એસટી નિગમ સમક્ષ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં પાલનપુર ડિવિઝન દ્વારા આ રૂટ ઉપર હજુ સુધી કોઈ બસ શરૂ કરવામાં આવી નથી. બનાસકાંઠા જેવા સરહદી અને વિશાળ જિલ્લામાંથી દ્વારકા માટે સીધી બસ સેવા શરૂ કરવામાં આવે તેવી પ્રજાજનો માંગ કરી રહ્યા છે ત્યારે એસ ટી તંત્ર.દ્વારા આ માંગ પર કેટલું ધ્યાન આપવામાં આવે છે તે જોવાનું રહ્યું.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅમીરગઢની બનાસ નદીમાં નવા નીર : ચાલુ વર્ષે પહેલીવાર પાણી આવતા ખેડૂતોમાં ખુશી
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના લિઝા કોમ્પલેક્ષ પાછળ દુકાનના ભોંયરામાંથી આધેડની લાશ મળતા અરેરાટી
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના કાંટ પાસે ટ્રેલર અને સ્વિફ્ટ કાર વચ્ચે ગંભીર અકસ્માત
2 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતીવાડાના ખેડા ભાખર ગામે મકાનમાં વીજળી પડી
2 દિવસ પહેલા
