વાવ તાલુકાના ઢીમા ખાતે આવેલ ધરણીધર કૃષિ બજાર માર્કેટયાર્ડ માં હોળી-ધૂળેટી પર્વ નિમિત્તે માર્કેટયાર્ડ ચાર દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વેપારી મિત્રો તથા માર્કેટયાર્ડ માં આવતાં ખેડૂત ભાઈઓ મજૂર ભાઈઓ અને અન્ય સંબંધિત લોકોને જાણ કરવામાં આવે છે કે વેપારીઓની માંગણીને ધ્યાનમાં રાખીને તા. 01-03-2025 રવિવારથી તા. 04-03-2025 બુધવાર સુધી માર્કેટયાર્ડ ઢીમામાં રજા જાહેર કરવામાં આવી છે આ સમયગાળા દરમિયાન માર્કેટયાર્ડમાં ખરીદી-વેચાણ તેમજ અન્ય તમામ કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે તેથી ખેડૂત ભાઈઓએ પોતાના માલની આવક અંગે નોંધ લેવા સૂચના આપવામાં આવે છે નોંધનીય છે કે તા. 05-03-2025 ગુરુવારથી માર્કેટયાર્ડ ઢીમાની કામગીરી નિયમિત રીતે શરૂ કરવામાં આવશે.
ધરણીધર કૃષિ બજાર ઢીમામાં હોળી-ધૂળેટી નિમિત્તે માર્કેટયાર્ડ ચાર દિવસ માર્કેટયાર્ડ બંધ રહેશે

સંબંધિત સમાચાર
વાવ-થરાદભાભરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઝડપાયા
5 દિવસ પહેલા
વાવ-થરાદભાભરના ચાત્રા ગામનો મુખ્ય પ્રવેશ માર્ગ જર્જરિત, ગ્રામજનોમાં ભારે રોષ
1 અઠવાડિયા પહેલા
વાવ-થરાદવાવ પંચાયતનું સ્થળાંતર વિવાદમાં: જૂની ઇમારતમાં કામકાજ શરૂ છતાં નવું મકાન અધૂરું
1 અઠવાડિયા પહેલા
વાવ-થરાદવાવના મોરિખા ગામે વરસાદી પાણીના નિકાલ માટે ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
1 અઠવાડિયા પહેલા
