વાવ-થરાદ જિલ્લાના છેવાડાના અને પાકિસ્તાન સરહદે આવેલા લોદરાની નાળોદર અને ગોલાગામ વિસ્તારના રસ્તાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. ત્યારેવાવ ધરણીધર તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખશ્રીએ આજે મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, લોદરાની થી વાવ સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા ૧૦ વર્ષથી નવીનીકરણ વગર 'રામ ભરોસે' છે. પૂરની ત્રિપલ માર અને તંત્રના થીંગડા મુદ્દે એસો.પ્રમુખએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૫, ૨૦૧૭ અને ૨૦૨૫ માં આવેલા વિનાશક પૂરના કારણે આ રોડ ત્રણ વખત મોટા પાયે તૂટ્યો છે. તંત્ર દ્વારા આ રોડનું કાયમી નિરાકરણ લાવવાને બદલે માત્ર કામચલાઉ થીંગડા મારવામાં આવે છે, જે થોડા જ સમયમાં ઉખડી જાય છે. હાલમાં આ માર્ગ પર ૧૦૦ થી વધુ જીવલેણ ગાબડાઓ પડી ગયા છે, જેના કારણે વાહન ચલાવવું અશક્ય બન્યું છે. ૫ ગામોની મુશ્કેલી આ માર્ગ રાછેણા, લોદરાની, નાળોદર, ગોલાગામ અને સરદારપુરા જેવા ગામો માટે તાલુકા મથકે પહોંચવા માટેનો મુખ્ય રસ્તો છે. આ વિસ્તારમા દૂધ ડેરી હોવાથી દૂધના ટેન્કરોની અવરજવર પણ રહે છે. જો રોડ તત્કાલ પહોળો અને નવો બનાવવામાં નહીં આવે, તો કોઈ મોટી જાનહાનિ થવાની ભીતિ છે. વાવ તાલુકા સરપંચ સંગઠને માંગ કરી છે કે આગામી દિવસોમાં આ રોડનું નવીનીકરણ બાબતે નાયબ કાર્યપાલક ઇજનેર અને જિલ્લા કલેક્ટરને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે
વાવ-થરાદ16 જાન્યુઆરી, 2026
વાવ ધરણીધર પંથકના રસ્તાઓ બિસ્માર હાલતમાં : સરપંચ એસો.એ આવેદનપત્ર પાઠવ્યું

સંબંધિત સમાચાર
વાવ-થરાદતંત્રની ઘોર બેદરકારી : ધરણીધર તાલુકાના રાછેણા રોડ પર બાળકો માટેના પૌષ્ટિક દૂધની થેલીઓ રજળતી મળી
3 દિવસ પહેલા
વાવ-થરાદઉણ પ્રકરણમાં પકડાયેલા પાંચેય આરોપી જેલ હવાલે
4 દિવસ પહેલા
વાવ-થરાદથરાદ પોલીસને મોટી સફળતા : ખૂનનો આરોપી ગણતરીના કલાકોમાં પેરોલ ફર્લો સ્કોડના સકંજામાં
1 અઠવાડિયા પહેલા
વાવ-થરાદભાભર પંથકમાં કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાએ કહેર વર્તાવ્યો
1 અઠવાડિયા પહેલા
