રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા21 મે, 2026| Super Admin

અરણીવાડા યુવાન હત્યા કેસ: આરોપી શિહોરી કોર્ટમાં રજૂ

અરણીવાડા યુવાન હત્યા કેસ: આરોપી શિહોરી કોર્ટમાં રજૂ

કોર્ટ દ્વારા શુક્રવાર સાંજે પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામના યુવાન રાહુલસિંહ સોલંકીની હત્યા મામલે પોલીસે આરોપી દશરથસિંહ જેણાજી જાદવને આજે ગુરુવારે શિહોરી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટ દ્વારા આરોપીના શુક્રવાર સાંજે પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ અરણીવાડા ગામના રાહુલસિંહ સોલંકી ટ્રેક્ટરના ભાડાના રૂપિયા 30 હજાર લેવા માટે રાનેર ગામના દશરથસિંહ જાદવ પાસે ગયા હતા. દરમિયાન વારંવાર ઉઘરાણી કરતા દશરથસિંહ ઉશ્કેરાઈ ગયો હતો અને રાહુલસિંહના માથાના ભાગે ટોમી મારી તેની હત્યા કરી દીધી હતી.હત્યા બાદ સમગ્ર મામલો છુપાવવા માટે આરોપીએ રાનેર ગામની સીમમાં બનાસ નદીના પટમાં જેસીબીની મદદથી ખાડો ખોદી રાહુલસિંહની લાશ દાટી દીધી હતી. બીજી તરફ રાહુલસિંહ ઘરેથી નીકળ્યા બાદ પરત નહીં ફરતા પરિવારે શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રાનેર ગામના દશરથસિંહ જાદવની અટકાયત કરી પૂછપરછ કરતા આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાસ્થળે તપાસ કરી જેસીબીની મદદથી દાટી દેવાયેલી લાશ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી.હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.પૈસાની લેતી દેતીમાં યુવકને મોતને ઘાટ ઉતારનાર આરોપી સામે લોકોએ ફિટકાર વરસાવ્યો હતો.

સંબંધિત સમાચાર