દાગીના ચોરીનો ભેદ ઉકેલાયો
વાવ તાલુકાના ભાટવર વાસ ગામે થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે.ફરિયાદી રમેશભાઈ હીરાભાઈ પ્રજાપતિ (રહે. મલાડ, મુંબઈ, મૂળ ભાટવરવાસ) એ 21એપ્રિલના રોજ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમના ઘરે તિજોરીમાંથી કુલ રૂ.7 લાખ 4 હજારની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. આ ગુનામાં અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે એક આરોપી ફરાર હતો.પણ પોલીસે બાતમીના આધારે ફરાર આરોપી સુરેશભાઈ કાજાભાઈ ઠાકોર (રહે. અસારા, તા. વાવ) ને અસારા સીમમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ. 14 હજાર રોકડા, 9 મોટરસાયકલ અને 9 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે.





