અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન આરતી અને દર્શનનો સમય

૭ સપ્ટેમ્બર એટલે કે ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણને કારણે દર્શન સમય અને ધ્વજારોહણમાં ફેરફાર
શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહા મેળાનું આયોજન કરાશે. ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન માતાજીની આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે. આગામી તારીખ ૧ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન આરતી સવારે ૬ થી ૬.૩૦ કલાકે, દર્શન સવારે ૬ થી ૧૧.૩૦ કલાક સુધી, દર્શન બંધ ૧૧.૩૦ થી ૧૨.૩૦, દર્શન બપોરે ૧૨.૩૦ થી ૧૭.૦૦ કલાક સુધી, દર્શન બંધ ૧૭ થી ૧૯ કલાક સુધી, દર્શન સાંજે ૧૯ થી ૨૪ કલાક સુધી તથા દર્શન બંધ ૨૪ થી સવારે ૬ સુધી રહેશે.
આગામી તારીખ ૭ સપ્ટેમ્બર, રવિવાર એટલે કે ભાદરવી પૂનમ મહા મેળાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી આરતી સવારે ૬ વાગ્યાથી ૬.૩૦ સુધી, દર્શન સવારે ૬ થી ૧૦ કલાક સુધી, શયન કાળ આરતી ૧૨ થી ૧૨.૩૦ કલાકે, બંધ મંદિરમાં જાળીમાંથી દર્શનનો સમય ૧૨.૩૦ થી ૧૭ સાંજે ૧૭ કલાકથી દર્શન બંધ રહેશે. ૭ સપ્ટેમ્બર, રવિવાર એટલે કે ભાદરવી પૂનમ મહા મેળાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરના શિખર પર બપોરે ૧૨.૩૦ કલાક બાદ ધ્વજારોહણ થઈ શકશે નહીં. આ સાથે ૮ સપ્ટેમ્બરથી દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે જેની સર્વે શ્રદ્ધાળુઓને નોંધ લેવા વિનંતી છે.
ટેગ્સ:#Ambaji temple#Aarti Timings#Temple Schedule#Bhadarvi Poonam Maha Mela#Ambaji Festival 2025#Darshan Schedule#Special Festival Hours#Festival Advisory#Schedule Change Notification
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
