રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
ઉત્તર ગુજરાત11 જુલાઈ, 2026| Super Admin

દિયોદર રોડ પર ગાયને બચાવવા જતાં અકસ્માત

દિયોદર રોડ પર ગાયને બચાવવા જતાં અકસ્માત

દિયોદર-તેરવાડા રોડ પર ગાયને બચાવવા જતાં એક કાર પલટી મારી હતી. આ અકસ્માતમાં દિયોદર તાલુકાના મેસરા ગામના આશરે ૨૦ વર્ષીય જયેશજી નાગજીજી ઠાકોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર, જયેશજી ઠાકોર GJ 02 A 5178 નંબરની કારમાં ઓગડ તાલુકાના વડા ગામે આવેલા ઢટોસણ હનુમાન દાદાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ ઘટના ઇસરવા બસ સ્ટેન્ડ નજીક બની હતી.ગાયને બચાવવાના પ્રયાસમાં કાર પલટી મારી ગઈ હતી. કાર પલટી મારતા જયેશજીનું માથું નીચે આવી ગયું હતું અને કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માત થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવી ક્ષતિગ્રસ્ત કારને સીધી કરી જયેશજીને બહાર કાઢ્યા હતા. તેમને તાત્કાલિક દિયોદર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

સંબંધિત સમાચાર