રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
સાબરકાંઠા10 જૂન, 2026| Super Admin

સાબરકાંઠામાં લોકભાગીદારી સાથે “સ્વચ્છતા સપ્તાહ અભિયાન”નો અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

સાબરકાંઠામાં લોકભાગીદારી સાથે “સ્વચ્છતા સપ્તાહ અભિયાન”નો અંતર્ગત  સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત રાજ્ય હંમેશા અગ્રેસર રહ્યું છે ત્યારે ગ્રામજનોના સર્વાંગી સ્વાસ્થ્ય, સુખાકારી અને “આદર્શ ગ્રામ પંચાયત”ની વિભાવનાને ચરિતાર્થ કરવા માટે સાબરકાંઠા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત “સ્વચ્છતા સપ્તાહ અભિયાન”નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. 

લોકભાગીદારી થકી આ અભિયાનને વધુ સક્રિય, વ્યાપક અને પરિણામલક્ષી બનાવવા માટે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં એક વિશેષ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના માલીવાડ, વડાલી તાલુકાના થુરાવાસ, ઇડર તાલુકાના ભદ્રેસર ગામે તેમજ વિજયનગર તાલુકાના ગાડી ગામે ગ્રામજનો અને વહીવટી તંત્રના સહયોગથી વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

આ અભિયાન અંતર્ગત ગામોના ખુલ્લા પ્લોટો, તળાવો, જળાશયોના હેન્ડપંપ તેમજ સેગ્રીગેશન શેડની આસપાસની જગ્યાઓ પરથી કચરાનો નિકાલ કરીને જાહેર સ્થળોને સ્વચ્છ બનાવવામાં આવ્યા હતા. ગ્રામીણ સ્તરે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાના આ ઉમદા આશય સાથે શરૂ કરાયેલા આ કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ, જે-તે ગામના સરપંચઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહીને શ્રમદાન કર્યું હતું.

ટેગ્સ:#sabarkantha

સંબંધિત સમાચાર