રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
સાબરકાંઠા10 જૂન, 2026| Super Admin

સાબરકાંઠામાં લોકભાગીદારી સાથે “સ્વચ્છતા સપ્તાહ અભિયાન”નો અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

સાબરકાંઠામાં લોકભાગીદારી સાથે “સ્વચ્છતા સપ્તાહ અભિયાન”નો અંતર્ગત  સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત રાજ્ય હંમેશા અગ્રેસર રહ્યું છે ત્યારે ગ્રામજનોના સર્વાંગી સ્વાસ્થ્ય, સુખાકારી અને “આદર્શ ગ્રામ પંચાયત”ની વિભાવનાને ચરિતાર્થ કરવા માટે સાબરકાંઠા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત “સ્વચ્છતા સપ્તાહ અભિયાન”નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. 

લોકભાગીદારી થકી આ અભિયાનને વધુ સક્રિય, વ્યાપક અને પરિણામલક્ષી બનાવવા માટે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં એક વિશેષ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના માલીવાડ, વડાલી તાલુકાના થુરાવાસ, ઇડર તાલુકાના ભદ્રેસર ગામે તેમજ વિજયનગર તાલુકાના ગાડી ગામે ગ્રામજનો અને વહીવટી તંત્રના સહયોગથી વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

આ અભિયાન અંતર્ગત ગામોના ખુલ્લા પ્લોટો, તળાવો, જળાશયોના હેન્ડપંપ તેમજ સેગ્રીગેશન શેડની આસપાસની જગ્યાઓ પરથી કચરાનો નિકાલ કરીને જાહેર સ્થળોને સ્વચ્છ બનાવવામાં આવ્યા હતા. ગ્રામીણ સ્તરે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાના આ ઉમદા આશય સાથે શરૂ કરાયેલા આ કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ, જે-તે ગામના સરપંચઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહીને શ્રમદાન કર્યું હતું.

ટેગ્સ:#sabarkantha

સંબંધિત સમાચાર