રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
ઉત્તર ગુજરાત11 જુલાઈ, 2026| Super Admin

ગ્રામજનોમાં ઉગ્ર રોષ‎:મડાલ-ટરૂવા-લાલપુર માર્ગ બિસ્માર

ગ્રામજનોમાં ઉગ્ર રોષ‎:મડાલ-ટરૂવા-લાલપુર માર્ગ બિસ્માર

લાખણી તાલુકાના મડાલથી ટરૂવા અને લાલપુરને જોડતો આશરે 8 વર્ષ જૂનો માર્ગ હાલ અત્યંત જર્જરિત હાલતમાં છે. રસ્તા પર ઠેરઠેર મોટા ખાડા પડી ગયા છે અને રોડની બંને બાજુઓ પણ તૂટી જતાં વાહનચાલકોને એકબીજાને સાઈડ આપવામાં ભારે મુશ્કેલી પડે છે.ખાસ કરીને ચોમાસા દરમિયાન ખાડાઓમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ખાડાનો અંદાજ આવતો નથી, જેના કારણે અકસ્માતની ભીતિ સતત રહે છે તેમજ વાહનોને નુકસાન પણ પહોંચી રહ્યું છે.આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં ગ્રામજનો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધા માટે અવરજવર કરતા લોકો પસાર થાય છે, પરંતુ ખરાબ રસ્તાને કારણે તેમનું રોજિંદું જીવન મુશ્કેલ બન્યું છે. સ્થાનિક લોકો લાંબા સમયથી માર્ગના રીસર્ફેસિંગની માંગ કરી રહ્યા છે.મડાલના સરપંચ ભરતભાઈ ઠાકોરે પણ એક વર્ષ અગાઉ સંબંધિત વિભાગને લેખિત રજૂઆત કરી હતી, છતાં આજદિન સુધી કોઈ કામગીરી હાથ ધરાઈ નથી. સમયસર કાર્યવાહી નહીં થાય તો વિસ્તારના લોકો ઉગ્ર રજૂઆત અને આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે.

સંબંધિત સમાચાર