રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા18 જૂન, 2025| Super Admin

બનાસકાંઠાના 10 ગામની કુલ 20 આંગણવાડી કેન્દ્રોની 73 કિશોરીઓને કારકિર્દી માર્ગદર્શન અપાયું

બનાસકાંઠાના 10 ગામની કુલ 20 આંગણવાડી કેન્દ્રોની 73 કિશોરીઓને કારકિર્દી માર્ગદર્શન અપાયું
કિશોરીઓને આત્મનિર્ભર બનાવવા મડાણા ગઢ સેજાની કિશોરીઓએ આઈ.ટી.આઈ સંસ્થાની મુલાકાત લઈને માર્ગદર્શન મેળવ્યું બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ જિલ્લા પ્રોગ્રામ અધિકારી ઉષાબેન ગજ્જરના નેતૃત્વ હેઠળ કિશોરીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પાલનપુરના ઘટક-4ના મડાણા ગઢ સેજા વિસ્તારમાં આવેલ 10 ગામની કુલ 20 આંગણવાડી કેન્દ્રોની 73 કિશોરીઓને નૂતન ભારતી ગઢ મડાણા સંચાલિત લક્ષ્મીચંદ ઝવેરી આઈ.ટી.આઈ ખાતે મુલાકાત સાથે માર્ગદર્શિત કરાયા હતા. લક્ષ્મીચંદ ઝવેરી આઈ.ટી.આઈ સંસ્થાની મુલાકાત દરમિયાન કિશોરીઓને આચાર્યશ્રી તથા ઇન્સ્ટ્રક્ટર દ્વારા વિવિધ ટ્રેડનો પરિચય અપાયો હતો. કિશોરીઓને ધોરણ 5, 8, 10 અને 12 પછી NIOS અને BAOU દ્વારા ઉચ્ચ અભ્યાસ તથા પ્રવેશ અંગે માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે આઈ.સી.ડી.એસ પ્રોગ્રામ અધિકારી દ્વારા કિશોરીઓને ICDS તથા પૂર્ણા યોજનાની સેવાઓ વિશે માહિતગાર કરવામાં આવી હતી. ડ્રોપ આઉટ થયેલ કિશોરીઓને ફરી અભ્યાસ શરૂ કરાવવા તેમજ આઈ.ટી.આઈ.માં પ્રવેશ લઈને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કરાયા હતા. આ સાથે દરેક કિશોરીને આત્મનિર્ભર બનવા અંગેનું મહત્ત્વ સમજાવતું ઉત્તમ સંબોધન પણ કરવામાં આવ્યું હતું. આ તકે 10 કિશોરીઓએ આઈ.ટી.આઈ.માં પ્રવેશ મેળવ્યો હતો. આ કાર્યક્રમમાં સી.ડી.પી.ઓ. ભાવનાબેન, જિલ્લા પૂર્ણા કન્સલ્ટન્ટ અરૂણાબેન તેમજ આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર