રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા27 જૂન, 2026| Super Admin

અમીરગઢ રેલ્વે ટ્રેક પર ટ્રેનની ટક્કરે યુવાનનું કમકમાટીભર્યું મોત

અમીરગઢ રેલ્વે ટ્રેક પર ટ્રેનની ટક્કરે યુવાનનું કમકમાટીભર્યું મોત

ધડ અને મૂડી બન્ને અલગ બાકી આખું શરીર પર કોઈ ઇજા નહીં 

અગમ્ય કારણો સર યુવાને જીવન સંકેલી લેતા પરિવાર પર આભ તૂટ્યું

અમીરગઢ રેલ્વે સ્ટેશન પર અમીરગઢ રેલ્વે ફેક્ટરી જોડે નાળા નજીક શુક્રવારની મોડી રાત્રે અમીરગઢના કાકવાડાના પાંત્રીસ વર્ષીય નવયુવાન ટ્રેનની અડફેડે યુવાને જીવન ગુમાવ્યું. જેમાં ધડ અને મુંડી અલગ બીજા આખા શરીર પર કોઈ ઈજાઓના નિશાન નહીં  અગાઉ આજ ગામના વધુ એક યુવાન રેલ્વેટ્રેક  પર ટ્રેનની અડફેટથી મૃત્યુ થયું હતું.

મળતી માહિતી મુજબ શુક્રવારની મોડી રાત્રે નવ એક વાગ્યાની આસપાસના અમીરગઢ રેલ્વેટ્રેક પર અજાણ્યો યુવક દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેન ની અડફેટે આવીને મૃત્યુ થયું હતું જ્યાં ધડ અને મુંડી અલગ થઈ ગયા હતા જોઈને પ્રાથમિક અનુમાન લગાવામાં લોકો પાયલોટએ સ્ટેશન મસ્તાને જણાવ્યા અનુસાર પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું હતું કે, જાણી જોઈને ટ્રેન નીચે પડતું મૂક્યું હોય એવું પ્રથમ નજરે અનુમાન લોકોની દ્રષ્ટિએ લગાવામાં આવી રહ્યું હતું. ત્યારે ટ્રેનના લોકો પાયલોટે ટ્રેન રોકી ત્યાં સ્થિત હાજર રેલ્વે સ્ટેશન માસ્ટરને જણાવ્યું કે ટ્રેનને સ્પીડ ધીમી હતી છતાં યુવાન જાણે અચાનક સામે આવી જતા અકસ્માતનો બનાવ બન્યો હતો. 

ઘટનાની જાણ થતાં ધીરે ધીરે લોકો એકઠાં થવા લાગ્યા અને અકસ્માત થનારની ઓળખ માટે પૂછ પરછ આસપાસના લોકોને કરી અને રેલવે પોલીસને જાણ કરવામાં આવી એક કલાક બાદ યુવક કાકવાડા ગામનો વતની હોવાનું જાણવા મળતા સ્થાનિકોએ ગામના લોકોને જાણ કરી અને યુવક કાકવાડા ગામનો હોવાનું જાણવા મળ્યું જેનું નામ યોગેશ અને ઘરમાં માતાનો એક માત્ર સહારો હોવાનું સામે આવતા પરિવાર અને અમીરગઢ પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જોકે રેલ્વે પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને અકસ્માત અંગેનું ચોક્કસ કારણ જણાવા વધુ તપાસ હાથ ધરી હતી.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર