રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા26 એપ્રિલ, 2025

વિશ્વ મેલેરિયા દિવસે; પાલનપુરમાં મેલેરિયા સામે જન જાગૃતિ અભિયાન યોજાયું

વિશ્વ મેલેરિયા દિવસે; પાલનપુરમાં મેલેરિયા સામે જન જાગૃતિ અભિયાન યોજાયું

પાલનપુરમાં શ્રમજીવી વિસ્તારો માં મેલેરિયા થી બચવા મચ્છરો ભગાવો જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ આરોગ્ય અધિકારીઓ અભિયાન છેડ્યું હતું. 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસે મેલેરિયા થી બચવા પાલનપુરમાં વિવિધ શ્રમજીવી વિસ્તારોમાં અર્બન હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરો પર મેડિકલ ઓફિસર  મેલેરીયા ભગાવો ની જાગૃતિ નો અભિયાન ભાગરૂપે જેમાં પાલનપુરના વોર્ડ નંબર ત્રણમાં ઝુપડપટ્ટી શ્રમ વિસ્તારોમાં હર્બલ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર મેડિકલ ઓફિસરો અને તેમના સ્ટાપે સ્ટોલ ગોઠવી જેમાં વિવિધ મચ્છરોની ઉપદ્ર બચવા કઈ કઈ રીતે ઉપાય કરવા કઈ રીતે થાય મેલેરીયાને ભગાવવા દવાઓનો છંટકાવ તેમજ અન્ય ઉપાયો માટે અલગ અલગ નમૂનાની મૂકી પ્રદર્શન કર્યું હતું. અને મેલેરિયા થી બચવા શું શું કરવું તેના ઉપાયો આ વિસ્તાર માં રહેતા લોકોને માર્ગદર્શન આપી જાગૃતા બતાવી હતી. પાલનપુર શહેરમાં ઝુપડપટ્ટી જેવા શ્રમ જેવી વિસ્તારોમાં વિવિધ સ્ટોલો ઉભા કરી જાગૃતિ લાવવા પ્રયત્ન કર્યા હતા.

સંબંધિત સમાચાર