રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ઉત્તર ગુજરાત9 જુલાઈ, 2026| Super Admin

દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી ઃ ખેડૂતો માટે ચિંતાનું મોજું

દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી ઃ ખેડૂતો માટે ચિંતાનું મોજું

સમગ્ર ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે અને મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, પરંતુ બનાસકાંઠાના ખેડૂતો માટે ચિંતાના વાદળો ઘેરાયા છે. જિલ્લાની જીવાદોરી ગણાતા દાંતીવાડા ડેમમાં પાણીની નવી આવક સદંતર અટકી ગઈ છે, જેના કારણે ખેડૂતોના શિયાળુ અને ઉનાળુ પાકના ભવિષ્યને લઈને મોટી ચિંતા તોળાઈ રહી છે.ડેમમાં પાણી ન આવવા પાછળનું મુખ્ય કારણ ઉપરવાસમાં વરસાદનો અભાવ છે. રાજસ્થાનના સિરોહી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે. આ ઉપરાંત, અંબાજી પંથક અને બાલારામ નદીના પટ વિસ્તારમાં પણ હજુ સુધી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી નથી. રાજ્યના અન્ય જળાશયોમાં પાણીની સપાટી ઝડપથી વધી રહી છે, ત્યારે દાંતીવાડા ડેમમાં પાણીની આવક શૂન્ય હોવાથી વહીવટી તંત્ર પણ પરિસ્થિતિ પર બાજ નજર રાખી રહ્યું છે.સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે, જો હવે પછીના સમયમાં સારો વરસાદ નહીં થાય તો ખરીફ પાક તો મુશ્કેલીમાં મુકાશે જ, પરંતુ શિયાળુ અને ઉનાળુ પાકનું વાવેતર કરવું પણ આર્થિક રીતે ખેડૂતોને પરવડે તેમ નથી. ડેમમાં પાણી ન હોવાથી ભૂગર્ભ જળ પણ પાતાળમાં જઈ રહ્યા છે. હાલમાં સમગ્ર બનાસકાંઠાના ખેડૂતોની મીટ માત્ર ઉપરવાસમાં થનારા વરસાદ પર મંડાયેલી છે. ખેડૂતો આશા સેવી રહ્યા છે કે મેઘરાજા રીઝશે અને દાંતીવાડા ડેમ છલોછલ ભરાશે, જેથી તેમનું આગામી વર્ષ સુરક્ષિત બની શકે.ચોમાસાના મધ્યમાં પણ દાંતીવાડા ડેમમાં અત્યારે માત્ર ૨૬.૨૨ ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ડેમમાં રહેલો આ મર્યાદિત જથ્થો હાલમાં માત્ર પીવાના પાણીની જરૂરિયાતોને પૂરી કરવા માટે જ સીમિત છે. જો આવનારા દિવસોમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ નહીં પડે, તો સિંચાઈ માટે પાણી છોડવું તંત્ર માટે અશક્ય બની જશે.

સંબંધિત સમાચાર