રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
બનાસકાંઠા9 જુલાઈ, 2026| Super Admin

દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી ઃ ખેડૂતો માટે ચિંતાનું મોજું

દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી ઃ ખેડૂતો માટે ચિંતાનું મોજું

સમગ્ર ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે અને મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, પરંતુ બનાસકાંઠાના ખેડૂતો માટે ચિંતાના વાદળો ઘેરાયા છે. જિલ્લાની જીવાદોરી ગણાતા દાંતીવાડા ડેમમાં પાણીની નવી આવક સદંતર અટકી ગઈ છે, જેના કારણે ખેડૂતોના શિયાળુ અને ઉનાળુ પાકના ભવિષ્યને લઈને મોટી ચિંતા તોળાઈ રહી છે.ડેમમાં પાણી ન આવવા પાછળનું મુખ્ય કારણ ઉપરવાસમાં વરસાદનો અભાવ છે. રાજસ્થાનના સિરોહી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે. આ ઉપરાંત, અંબાજી પંથક અને બાલારામ નદીના પટ વિસ્તારમાં પણ હજુ સુધી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી નથી. રાજ્યના અન્ય જળાશયોમાં પાણીની સપાટી ઝડપથી વધી રહી છે, ત્યારે દાંતીવાડા ડેમમાં પાણીની આવક શૂન્ય હોવાથી વહીવટી તંત્ર પણ પરિસ્થિતિ પર બાજ નજર રાખી રહ્યું છે.સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે, જો હવે પછીના સમયમાં સારો વરસાદ નહીં થાય તો ખરીફ પાક તો મુશ્કેલીમાં મુકાશે જ, પરંતુ શિયાળુ અને ઉનાળુ પાકનું વાવેતર કરવું પણ આર્થિક રીતે ખેડૂતોને પરવડે તેમ નથી. ડેમમાં પાણી ન હોવાથી ભૂગર્ભ જળ પણ પાતાળમાં જઈ રહ્યા છે. હાલમાં સમગ્ર બનાસકાંઠાના ખેડૂતોની મીટ માત્ર ઉપરવાસમાં થનારા વરસાદ પર મંડાયેલી છે. ખેડૂતો આશા સેવી રહ્યા છે કે મેઘરાજા રીઝશે અને દાંતીવાડા ડેમ છલોછલ ભરાશે, જેથી તેમનું આગામી વર્ષ સુરક્ષિત બની શકે.ચોમાસાના મધ્યમાં પણ દાંતીવાડા ડેમમાં અત્યારે માત્ર ૨૬.૨૨ ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ડેમમાં રહેલો આ મર્યાદિત જથ્થો હાલમાં માત્ર પીવાના પાણીની જરૂરિયાતોને પૂરી કરવા માટે જ સીમિત છે. જો આવનારા દિવસોમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ નહીં પડે, તો સિંચાઈ માટે પાણી છોડવું તંત્ર માટે અશક્ય બની જશે.

સંબંધિત સમાચાર