રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા25 મે, 2026| Super Admin

ડીસાના ૬ ગામોમાં વોટર ક્રાઈસિસ ખેતી-પશુપાલન પરિવારો આર્થિક સંકટમાં

બનાસકાંઠા જિલ્લાના ધબકતા હૃદય સમાન ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતોની ચિંતા વધારતા જ નહીં પરંતુ કાળજું કંપાવતા સમાચાર સામે આવી રહ્યા છે. તાલુકાના બાઈવાડા, થેરવાડા, જાવલ, વિઠોદર, કોચાસણા અને ફાગુદ્રા સહિતના અડધો ડઝન ગામોમાં છેલ્લા ૧૦ થી ૧૨ વર્ષથી ભૂગર્ભ જળસ્તર સતત પાતાળમાં જઈ રહ્યા છે. એક સમયે ખેતી અને પશુપાલનથી હરિયાળા ગણાતા આ ગામો આજે પાણીના ટીપાં-ટીપાં માટે મૂરઝાઈ રહ્યા છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, વર્તમાન સમયમાં પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે જમીનમાંથી પાણી મેળવવા માટે ૫૦૦ થી લઈને ૭૦૦ ફૂટ સુધીના ઊંડા બોર કરવા પડી રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે આટલી ઊંડાઈએ જવા છતાં મોટાભાગના વિસ્તારોમાં માત્ર કાળું અને ખારું પાણી જ નીકળે છે. આ કેમિકલ યુક્ત કે ખારા પાણીના કારણે પાક બળી જાય છે, જેથી હવે આ પંથકમાં ખેતી કરવી લગભગ અશક્ય બની ગઈ છે.

આર્થિક સંકટ.gif 1.39 MB

પાણીની કટોકટીની સીધી અને ઘાતકી અસર સ્થાનિક પશુપાલન ઉદ્યોગ પર પડી છે. અગાઉ જે ખેડૂતો પોતાના આંગણે ૧૦ થી ૨૦ પશુઓ રાખીને શ્વેતક્રાંતિ સર્જતા હતા, તેઓ આજે પાણી અને લીલા ઘાસચારાના અભાવે માત્ર ૨ થી ૩ પશુઓ રાખવા મજબૂર બન્યા છે. આવકના બંને મુખ્ય સ્ત્રોત (ખેતી અને દૂધ) ઠપ થઈ જતાં ગ્રામીણ પરિવારો દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યા છે અને જીવનનિર્વાહ ચલાવવો આકરો બન્યો છે. ચિંતાતુર ખેડૂતો અને અગ્રણીઓનું કહેવું છે કે, જો સરકાર કે નર્મદા નિગમ દ્વારા આ ગામોના તળાવો ભરવા અથવા કેનાલ આધારિત પાણી આપવાની કોઈ કાયમી યોજના તાત્કાલિક અમલમાં નહીં મૂકાય, તો આગામી દિવસોમાં લોકોને રોજગારી અને જીવવા માટે માલ-સામાન સાથે વતન છોડીને અન્ય શહેરો તરફ સ્થળાંતર (હિજરત) કરવાની ફરજ પડશે. હાલ તો આ ભયાનક જળસંકટને કારણે સમગ્ર પંથકમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ છે.

સંબંધિત સમાચાર