બનાસકાંઠા29 ઑગસ્ટ, 2025
વાયરલ ફિવરના કેસોમાં ઉછાળો ધાનેરામાં રોજના 300 થી 400 દર્દીઓ નોંધાયા

ધાનેરામાં ચોમાસાની ઋતુ શરૂ થતાં જ વાયરલ ફિવરે ભરડો લીધો છે, જેના કારણે દૈનિક દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. ધાનેરામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ખાનગી દવાખાનાઓમાં રોજના 300 થી 400 જેટલા કેસો નોંધાઈ રહ્યા છે. ડોક્ટર રવિભાઈ ગમાર (એમડી) સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, હાલમાં શરદી અને ખાંસીના કેસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે અને સરેરાશ 300 થી 350 દર્દીઓ રોજ સારવાર માટે આવી રહ્યા છે. તેમણે લોકોને આ ઋતુમાં વિશેષ સાવધાની રાખવા અપીલ કરી છે.
સાવધાની એ જ શ્રેષ્ઠ ઉપચાર; ડોક્ટર ગમારે વાયરલ ફિવરથી બચવા માટે કેટલાક મહત્વના સૂચનો આપ્યા
1.ઉકાળેલું પાણી પીવું: ચોમાસા દરમિયાન પાણીજન્ય રોગોનું જોખમ વધે છે, તેથી હંમેશા ઉકાળેલું અને શુદ્ધ પાણી પીવું જોઈએ.
2.પાણીનો ભરાવો અટકાવો: ઘરની આસપાસ કે છત પર કુંડા, ટાયર, કે અન્ય વસ્તુઓમાં પાણીનો ભરાવો ન થાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ, જેથી મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય. જો કોઈ વ્યક્તિમાં વાયરલ ફિવરના લક્ષણો જેવા કે તાવ, શરદી, ખાંસી, શરીરમાં દુખાવો, કે નબળાઈ જણાય, તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો હિતાવહ છે.
ટેગ્સ:#Dhanera City#Primary Health Centers#Seasonal Health Alert#Monsoon-related illnesses#Viral fever outbreak#Rise in cold and cough cases#Water-borne disease risk#Dhanera health crisis#300–400 daily patients#Private hospital overload#Local medical advisory#Gujarat healthcare update#Public health appeal
સંબંધિત સમાચાર
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
17 કલાક પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
18 કલાક પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
18 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર-23 અને સિનિયર ટીમ માટે સિલેક્શન ટ્રાયલ યોજાયું
18 કલાક પહેલા
