રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા5 મે, 2025| Super Admin

વાવના બુકણા ગૌશાળાની પાંચ ગાયોના મોત થતાં અરેરાટી

વાવના બુકણા ગૌશાળાની પાંચ ગાયોના મોત થતાં અરેરાટી
ગૌ ભક્તો અને વેટરનરી તબીબોની મદદથી ૨૦ ગાયોને બચાવી લેવાઈ; વાવ તાલુકના બુકણા ગામની ગૌશાળાની ૨૫થી વધુ ગાયો ગતરોજ એકી સાથે કોઈ ખેતરમાં ચરવા માટે ગઈ હતી. જ્યાં કોઈ ઝેરી પ્રદાર્થ આરોગવથી પાંચ ગાયોના કરુણ મોત થતાં અરેરાટી મચી જવા પામી હતી. જોકે સ્થાનીક ગૌભક્તોને આ બાબતની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વેટરનરી ડોક્ટરોની ટીમ બોલાવી તાબડતોબ સારવાર કરતાં ૨૦ ગાયોને બચાવી લેવાઈ હતી. આ બાબતે ખેડૂત અગ્રણી અને ગૌભક્ત એવા રામસિંહજી રાજપૂત ખીમાણા પાદરવાળાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં એકી સાથે ગાયોનું ભૂખ્યું ઝુંડ કોઈ એક રેઢીયાળ ખેતરમાં ઘુસી જઈ એરેડાના પાકને આરોગતાં ફુડ પોઇઝન થવાથી રોડ પર ચાલતા ચાલતા પાંચ ગાયોના ટપોટપ મોત નિપજ્યા હતા. જ્યારે આ બાબતની ગૌભક્તોને જાણ થતાં વેટનરી ડોક્ટરોની ટીમ બોલાવી તાત્કાલીક સારવાર આપી ૨૦ થી વધુ ગાયોને બચાવી લેવાઈ હતી. આ બાબતે ગૌભક્ત રામસિંહજી રાજપુતે ખેડૂત મિત્રોને અપીલ કરતા જણાવ્યું હતું કે ખેતરમાં એરંડા લીધા બાદ તેના ઉભા પાકનો રોટર મશીનથી નિકાલ કરી દેવો જોઈએ. જેથી કરીને આવી કોઈ અઘટિત ઘટના ન બને.

સંબંધિત સમાચાર