વાવ શહેરના સોલંકીવાસ વજીરવાસ મહેતાવાસ નકળગ દાદાના મંદિર જેવા વિવિધ વિસ્તારોમાં ગંદકી અને ખાડાઓનું રાજ થતાં સોલંકી વાસના જાગૃત યુવાન એવા કુલદીપસિંહ ગણેશજી સોલંકીએ ઉચ્ચ સ્તરે એક લેખિતમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે, વાવ શહેરના આ મુખ્ય વિસ્તારોમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી આવતું નથી વધુમાં પાણીના કનેકશન માટે મહેતાવાસ ચબૂતરા પાસે પાણીની લાઇન માટે ખાડાઓ ખોદેલ છે. પરંતુ હજુ સુધી પાઇપ લાઇન નાખેલ ન હોઈ કોઈ વાહન ચાલી શકતું નથી. તેમજ રાહદારીઓને ચાલવામાં તકલીફ પડે છે. તેમજ દરજીવાસ વિસ્તારમાં આવેલી આંગણવાડી પાસે ગંદકીનું પ્રમાણ વધી ગયું છે.
જેથી કરી રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે. વધુમાં ગટર લાઇન તૂટવાના લીધે ગંદકી અને કીચડ રાજ વધી ગયું છે. સોલંકી વાસથી નકલંગ દાદા જવાના મુખ્ય માર્ગ પર ખાડાનું પ્રમાણ જોવા મળતા ભક્તોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. કુલદીપસિંહ સોલંકીએ મીડિયા સમક્ષ તેમજ ટી.ડી.ઓને લેખિતમાં જણાવ્યા અનુસાર આ મુદ્દે જવાબદાર તંત્રને લેખિત મૌખિક રજુઆત કરવા છતાં આ બાબતનું કોઈ નિવારણ આવતું નથી. આગામી ટુક સમયમાં આ બાબતનું નિવારણ નહિ મળે તો લોકો સામુહિક રીતે આવેદનપત્ર પાઠવી વિરોધ પ્રદશન કરશે તેવું જણાવ્યું હતું.





