રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
મહેસાણા21 મે, 2026| Super Admin

મહેસાણામાં મોંઘવારીનો અનોખો વિરોધ: 'આપ' કાર્યકરો ગળામાં શાકભાજીના હાર પહેરી કલેક્ટર કચેરીએ પહોંચ્યા

મહેસાણામાં મોંઘવારીનો અનોખો વિરોધ: 'આપ' કાર્યકરો ગળામાં શાકભાજીના હાર પહેરી કલેક્ટર કચેરીએ પહોંચ્યા

જનતા ચોકલેટ ખાઈને પેટ ન ભરી શકે" -જયદેવસિંહ ચાવડા, આપ-જિલ્લા પ્રમુખ

દેશભરમાં દિન-પ્રતિદિન વધતી જતી મોંઘવારી અને રોજિંદી ચીજવસ્તુઓના આસમાને પહોંચેલા ભાવ સામે જનતાનો રોષ પ્રગટ કરવા માટે મહેસાણામાં આમ આદમી પાર્ટી દ્વારા એક અનોખો વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઈંધણ (પેટ્રોલ-ડીઝલ), રાંધણ ગેસ, સીએનજી અને દૂધ જેવી પાયાની વસ્તુઓમાં કરાયેલા કમરતોડ ભાવવધારાનો વિરોધ કરવા માટે પક્ષના કાર્યકરો ગળામાં શાકભાજીની માળાઓ પહેરીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ આંદોલનના ભાગરૂપે, શહેરની ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી એક વિશાળ રેલીની શરૂઆત કરવામાં આવી હતી, જે કલેક્ટર ઓફિસ ખાતે સમાપ્ત થઈ હતી. સૂત્રોચ્ચારો અને સરકાર વિરોધી નારાઓ સાથે કલેક્ટર કચેરીએ પહોંચેલા કાર્યકરોએ વાતાવરણ ગજવી દીધું હતું. ત્યારબાદ, મોંઘવારીના આ પ્રશ્ને વહીવટી તંત્રના અધિક કલેક્ટરને મળીને એક સત્તાવાર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન 'આપ'ના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ઉમેર્યું કે, વર્તમાન સમયમાં મોંઘવારીએ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની આર્થિક સ્થિતિ બગાડી નાખી છે. શાકભાજી, દૂધ અને ઈંધણના ભાવો સામાન્ય માણસની પહોંચ બહાર થઈ ગયા છે. ડીઝલ મોંઘું થવાને કારણે ખેડૂતો ટ્રેક્ટર ચલાવી શકતા નથી. જો આવી જ સ્થિતિ રહી અને ખેતી ખોરવાઈ, તો દેશમાં અનાજની તંગી સર્જાશે, જે આગળ જતાં ભૂખમરો અને ગુનાખોરી વધારવાનું કારણ બનશે.

આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લાના પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ મુલાકાત પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, દેશની જનતા જ્યારે મોંઘવારીની આગમાં હોમાઈ રહી છે, ત્યારે વડાપ્રધાન ઈટાલી જઈને ચોકલેટો વહેંચી રહ્યા છે. સામાન્ય માણસ ચોકલેટ ખાઈને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકતો નથી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, જો રશિયા ભારતને સસ્તા દરે ક્રૂડ ઓઈલ આપવા તૈયાર છે, તો સરકાર કેમ ખરીદી કરીને જનતાને તેનો લાભ આપતી નથી? 'આપ' નેતાએ દેશના વડાપ્રધાન, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને તાકીદે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા અપીલ કરી છે, અને જો સરકાર મોંઘવારી નિયંત્રિત ન કરી શકતી હોય તો સત્તા છોડવાની માંગ કરી છે.

સંબંધિત સમાચાર