રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા21 ફેબ્રુઆરી, 2025| Super Admin

અંબાજીમાં 51 શક્તિપીઠ સર્કલથી સંસ્કૃત પાઠશાળા સુધી બનશે અંડર પાસ

અંબાજીમાં 51 શક્તિપીઠ સર્કલથી સંસ્કૃત પાઠશાળા સુધી બનશે અંડર પાસ

શક્તિપીઠ અંબાજીની કાયાકલ્પ કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યાં પ્રથમ ફેજની કામગીરી શરૂ કરવામાં આવી છે. તીર્થધામના વિકાસ માટે વિવિધ તબક્કામાં કામગીરી પૂર્ણ કરાશે. જેમાં 51 શક્તિપીઠ સર્કલથી ગબ્બર તરફ સંસ્કૃત પાઠ શાળા સર્કલ સુધી અંડર બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કામગીરી પ્રસિદ્ધ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. જ્યાં વિવિધ પાંચ જેટલા તબક્કાઓમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે. પ્રથમ તબક્કાની કામગીરીમાં ગબ્બર શક્તિ કોરિડોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 51 શક્તિ પીઠ સર્કલથી અંડર પાસ બનશે. શક્તિદ્વારથી ગબ્બર સુધી કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે. ખાસ કરીને ભોજનાલય, વિશ્રામ ગૃહ સહિતના બાંધકામ ડીમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. બીજા ફેજમાં શક્તિ દ્વારથી હોલિ ડે હોમ સુધી દર્શની ચોક અને હોલિ ડે હોમ થી ગબ્બર રોપ-વે વચ્ચે વિવિઘ આકર્ષણો સાથે સતી સરોવર પણ બનાવાશે. અન્ય તબક્કામાં મંદિર ચોક વિસ્તૃતિકરણ બાદ અંબાજીના આંતરિક રસ્તા આવરી લેવાશે તેવી માહીતી સાંપડી રહી છે.

સંબંધિત સમાચાર