ઊંઝા વિભાગ તમાકુ વેપારી મંડળની માગણીને ધ્યાનમાં લઈ નિર્ણય
ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામને લઈ ઉનાવા માર્કેટયાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રહેશે. ઉનાવા માર્કેટયાર્ડ નજીક એચ પી હાઈસ્કુલ ખાતે આવતીકાલે ઊંઝા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બે સીટોનુ પરિણામ જાહેર થનાર છે. જેને લઈ ઊંઝા વિભાગ તમાકુ વેપારી મંડળની માગણીને ધ્યાનમાં લઈ તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ હોવાથી આવતીકાલે તા.28 એપ્રિલ 2026 મંગળવારના રોજ ઉનાવા માર્કેટયાર્ડમાં હરાજીનું તમામ કામકાજ બંધ રહેશે. જેની નોંધ લેવા ઉનાવા માર્કેટયાર્ડ વેપારીઓ અને ખેડૂતોને નોંધ લેવા જણાવ્યું છે.





