સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના રતનપુર ગામમાં એક દુ;ખદ ઘટના સામે આવી છે. રતનપુરના સુકાઆંબા વિસ્તારની નીચલી ફળીમાં એક મકાનની માટીની દિવાલ ભેજને કારણે ધસી પડી હતી.ઘટના સમયે ઓસરીમાં ત્રણ બાળકો રમી રહ્યા હતા. આ બાળકોમાં દિલીપ મકવાણા (4 વર્ષ), આશાબેન મકવાણા (7 વર્ષ) અને રવિન્દ્ર મકવાણા (10 વર્ષ)નો સમાવેશ થાય છે. દિવાલ ધસી પડતાં ત્રણેય બાળકો માટી નીચે દટાઈ ગયા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્રણેય બાળકોને માટી નીચેથી બહાર કાઢવામાં આવ્યા હતા. રવિન્દ્રને ખેડબ્રહ્મા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દિલીપ અને આશાબેનને વધુ સારવાર માટે હિંમતનગર લઈ જતી વખતે વડાલી નજીક બંનેના મોત નિપજ્યા હતા.ઘટના અંગે અમરતભાઈ મકવાણાએ ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ખેડબ્રહ્માના રતનપુર ખાતે દિવાલ ધરસાઈ બેના મોત એક ઇજાગ્રસ્ત

ટેગ્સ:#Sabarkantha District#Emergency Services#rescue operations#Community Response#Local Authorities#Accidental Death#Child Casualties#Building Safety Concerns#Tragic Accident#Wall Collapse#Children’s Safety#Investigation Launched#Ratanpur Incident#Khedbrahma Taluka#Mud Wall Failure
સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા LCBની મોટી સફળતા: હત્યાનો ગુનેગાર જેલના સળિયા પાછળ; 3 વર્ષ બાદ જંગલમાંથી ઝડપાયો
3 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં આઈપીએલ પર સટ્ટાબાજીનું નેટવર્ક ઝડપાયું, પોલીસે ₹20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
3 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠાના બડોલની સીમમાં ડ્રોન સ્ટ્રાઈક : SOGએ ખેતરમાંથી ₹10 લાખનો ગાંજો ઝડપ્યો
6 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં આકાશી આફત : ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ
1 અઠવાડિયા પહેલા
