સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના રતનપુર ગામમાં એક દુ;ખદ ઘટના સામે આવી છે. રતનપુરના સુકાઆંબા વિસ્તારની નીચલી ફળીમાં એક મકાનની માટીની દિવાલ ભેજને કારણે ધસી પડી હતી.ઘટના સમયે ઓસરીમાં ત્રણ બાળકો રમી રહ્યા હતા. આ બાળકોમાં દિલીપ મકવાણા (4 વર્ષ), આશાબેન મકવાણા (7 વર્ષ) અને રવિન્દ્ર મકવાણા (10 વર્ષ)નો સમાવેશ થાય છે. દિવાલ ધસી પડતાં ત્રણેય બાળકો માટી નીચે દટાઈ ગયા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્રણેય બાળકોને માટી નીચેથી બહાર કાઢવામાં આવ્યા હતા. રવિન્દ્રને ખેડબ્રહ્મા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દિલીપ અને આશાબેનને વધુ સારવાર માટે હિંમતનગર લઈ જતી વખતે વડાલી નજીક બંનેના મોત નિપજ્યા હતા.ઘટના અંગે અમરતભાઈ મકવાણાએ ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
સાબરકાંઠા1 જુલાઈ, 2025
ખેડબ્રહ્માના રતનપુર ખાતે દિવાલ ધરસાઈ બેના મોત એક ઇજાગ્રસ્ત

ટેગ્સ:#Sabarkantha District#Emergency Services#rescue operations#Community Response#Local Authorities#Accidental Death#Child Casualties#Building Safety Concerns#Tragic Accident#Wall Collapse#Children’s Safety#Investigation Launched#Ratanpur Incident#Khedbrahma Taluka#Mud Wall Failure
સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠાના અંતરિયાળ ગામોમાં રક્તદાનની સરવાણી : ૩૧ યુનિટ રક્ત એકત્ર કર્યું
14 કલાક પહેલા
સાબરકાંઠાતંત્ર સજ્જ : પ્રાંતિજ હાઈવે પર મોકડ્રિલ યોજાઈ, અકસ્માત સમયે બચાવ કામગીરીનું જીવંત નિદર્શન કરાયું
1 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં પેન્શનરોનો હલ્લાબોલ : વેલિડેશન એક્ટ 2025 ના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું
3 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં પેન્શનરોનો હલ્લાબોલ : વેલિડેશન એક્ટ 2025 ના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું
3 દિવસ પહેલા
