પોલીસ અને પાલિકા તંત્રની નિષ્ક્રિયતા ને કારણે પાટણમાં સજૉતિ ટ્રાફિક સમસ્યા

મુખ્ય બજાર માર્ગો પર આડેધડ ઉભી રહેતી લારીઓ અને પાકૅ કરાતા વાહનોને કારણે સર્જાતી ટ્રાફિકથી લોકો પરેશાન.
પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિવારણ માટે કડક કાર્યવાહી હાથ ધરે તેવી લોક માંગ ઉઠી; પાછળ નગરપાલિકા અને પોલીસ તંત્રની નિષ્ક્રિયતાના કારણે શહેરના મુખ્ય બજાર માર્ગો પર વારંવાર ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હોય છે. જેના કારણે રાહદારીઓને વાહન ચાલકોને પણ કલાકો સુધી પોતાનો સમય આ ટ્રાફિકમાં પસાર કરવાની ફરજ પડી રહી છે. પાટણ શહેરના મુખ્ય બજાર માર્ગો પર આડેધડ ઉભી રહેતી લારીઓ તેમજ જ્યાં ત્યાં પાર્ક કરાતા વાહનોના કારણે શહેરના મુખ્ય બજાર માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હોય છે. ત્યારે હાલમાં એક તરફ લગ્નની સીઝનને લઈને ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો મોટી સંખ્યામાં પાટણના બજારોમાં ખરીદી અર્થ આવતા હોય છે તો બીજી તરફ વાહનોના જમેલા અને લારીઓમાં અડીંગાઓના કારણે શહેરના સાંકડા બનતાં મુખ્ય બજાર માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ઉદભવતી હોય છે. અને આ ટ્રાફિક સમસ્યાને નિવારવા સ્થળ પર એક પણ પોલીસ કર્મચારી કે ટીઆરબી ના જવાન જોવા ન મળતા હોય જેના કારણેના છૂટકે વાહન ચાલકોએ જાતે જ ટ્રાફિક સમસ્યાને નિવારવા કમર કસવી પડતી હોય છે.
પાટણના મધ્યમાં આવેલ ચતુર્ભુજ બાગ નજીક બે ગુરુવારે એકબીજા વાહન ચાલકો સામ સામે આવી જતાં ટ્રાફિકના વરવા દ્રશ્યો સજૉતા જેના કારણે રાહદારીઓ પરેશાન થયા હતા. પાટણ શહેરના મુખ્ય બજાર માર્ગો પર અવાર નવાર સજૉતી આ ટ્રાફિકની સમસ્યાને નિવારવા પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા મુખ્ય બજાર માર્ગો પર આડેધડ ઉભી રહેતી લારીઓ અને જ્યાં ત્યાં પાર્ક કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરે તેવી માંગ પ્રબળ બનવા પામી છે.
ટેગ્સ:#Patan city#Traffic Management#Road Safety Issues#Police Response#Traffic Problems#Public Demand for Action#Congestion Issues#Municipal Inaction#Haphazard Parking#Main Market Roads#Pedestrian Inconvenience#Wedding Season Traffic#Rural Shoppers#Vehicle Drivers
સંબંધિત સમાચાર
પાટણપોલીસ સ્ટેશનમાં જ ખાખી રક્ષક સુરક્ષિત નહીં: રાધનપુરમાં ASI પર જીવલેણ હુમલો
7 કલાક પહેલા
પાટણપાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભક્તિભાવ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ
7 કલાક પહેલા
પાટણપાટણમાં ગૌપ્રેમીઓનો હુંકાર: ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ
2 દિવસ પહેલા
પાટણપાટણ : વાવાઝોડા બાદ યુજીવીસીએલની યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી
2 દિવસ પહેલા
