અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ બપોરના સમયે ટેક-ઓફ બાદ તરત જ ક્રેશ થઈ હતી. વિમાનમાં આગ લાગતા મુસાફરો આગમાં લપેટાયા હતા. આ દુર્ઘટનામાં પાટણ જિલ્લાના ત્રણ મુસાફરો સવાર હતા.ચંદ્રુમણાના વતની અને હાલ ગાંધીનગર રહેતા કુબેરભાઈ ખેમચંદભાઈ પટેલ અને તેમના પત્ની બબીબેન પટેલ લંડનમાં રહેતા તેમના પરિવાર સાથે મળવા જઈ રહ્યા હતા. તેમના ભાઈ કીર્તિભાઈ પટેલે આ માહિતી આપી હતી. ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામની 33 વર્ષીય મહિલા પણ વિમાનમાં સવાર હતી. તે છેલ્લા એક મહિનાથી પોતાના વતનમાં રહેતી હતી અને ગઈકાલે લંડન જવા નીકળી હતી. વિમાન દુર્ઘટનાની જાણ થતાં ત્રણેય મુસાફરોના પરિવારજનો અને ગ્રામજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, હજુ સુધી મૃતદેહોનો DNA ટેસ્ટ થયો નથી. DNA ટેસ્ટ બાદ જ તેમના સ્વજનોના મૃત્યુની પુષ્ટિ થશે
વિમાન દુર્ઘટનામાં પાટણ જિલ્લાના ત્રણ મુસાફરો સવાર હતા

ટેગ્સ:#AIR INDIA#Plane crash#Patan district#Emergency Response#Family Impact#Tragedy#Aviation Safety#Ahmedabad to London Flight#Passenger Information#DNA Testing
સંબંધિત સમાચાર
પાટણપાટણ તંત્રની બેદરકારી સામે આવી, ઢોર ડબ્બામાં 4 ગાયોના મોત મામલે તપાસની માંગ
20 કલાક પહેલા
પાટણપાટણ કોન્ટ્રાક્ટર એસો.દ્વારા બિલ્ડિંગ મટિરિયલ્સના ભાવ વધારા મામલે કલેક્ટરને આવેદન આપ્યું
21 કલાક પહેલા
પાટણજન રક્ષક અને ચાઈલ્ડ લાઈન એક્શનમાં: પાટણમાં થતા બાળલગ્ન અટકાવાયા
21 કલાક પહેલા
પાટણપાટણ કોર્ટ કમ્પાઉન્ડમાં સુરક્ષા સામે સવાલ : સગીરાનું અપહરણ થતા ખળભળાટ
2 દિવસ પહેલા
