રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા18 ઑગસ્ટ, 2025| Super Admin

દાંતીવાડા ના ગ્રામીણ વિસ્તારોમા હજી પણ દેશી કાનુડાની પરંપરા યથાવત

દાંતીવાડા ના ગ્રામીણ વિસ્તારોમા હજી પણ દેશી કાનુડાની પરંપરા યથાવત
બહેનો પિયરમાં આવી સખીઓ સાથે નાચગાન કરી બાળપણની યાદો તાજી કરી; જન્માષ્ટમીના પાવન પર્વે દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પર્વને અનોખી પરંપરાગત રીતથી ઉજવવામાં આવે છે. અહીંની મહિલાઓ સાંજના સમયે તળાવ માંથી કાચી માટી લાવી કૃષ્ણની મૂર્તિ બનાવી પૂજા અર્ચના કરી ને સમુહમાં દેશી ઢોલના તાલે નાચગાન કરી કાનુડો રમીને બાળપણની યાદો તાજી કરી અનેરો આનંદ માણે છે. દાંતીવાડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આ પરંપરા માત્ર ઉત્સવ નથી, પરંતુ સંસ્કૃતિ અને સંબંધોની મીઠી યાદ છે. આ પર્વે મહિલાઓના પિયરમાં આવવાની અને બાળપણની યાદોને તાજી કરવાની પરંપરા આજીવન જીવંત રહે છે. આ પંથકમાં જન્માષ્ટમીની આ પરંપરાગત ઉજવણી માત્ર એક ધાર્મિક પર્વ નથી, પરંતુ સમાજના સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબ છે. આ રીતે દાંતીવાડા પંથકમાં જન્માષ્ટમીની ઉજવણી અનોખી ઓળખ ધરાવે છે. દાંતીવાડા તાલુકાના આકોલી ગામે વર્ષોથી અલગ અલગ સમાજ દ્રારા કાનુડા બનાવી ઉત્સવ કરવામા આવતો હતો પરંતુ આ વર્ષે ગામના નવનિયુક્ત મહીલા સરપંચ ગોમતીબેન માળી અને ગામના આગેવાનો દ્રારા અલગ અલગ સમાજના બનાવેલ કાનુડા ને એક જ ધાર્મિક જ્ગ્યાએ રાખી ભોજન પ્રસાદી કરાવીને જન્માષ્ટમી પર્વની અનોખી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર