રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા18 ઑગસ્ટ, 2025| Super Admin

દાંતીવાડા ના ગ્રામીણ વિસ્તારોમા હજી પણ દેશી કાનુડાની પરંપરા યથાવત

દાંતીવાડા ના ગ્રામીણ વિસ્તારોમા હજી પણ દેશી કાનુડાની પરંપરા યથાવત
બહેનો પિયરમાં આવી સખીઓ સાથે નાચગાન કરી બાળપણની યાદો તાજી કરી; જન્માષ્ટમીના પાવન પર્વે દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પર્વને અનોખી પરંપરાગત રીતથી ઉજવવામાં આવે છે. અહીંની મહિલાઓ સાંજના સમયે તળાવ માંથી કાચી માટી લાવી કૃષ્ણની મૂર્તિ બનાવી પૂજા અર્ચના કરી ને સમુહમાં દેશી ઢોલના તાલે નાચગાન કરી કાનુડો રમીને બાળપણની યાદો તાજી કરી અનેરો આનંદ માણે છે. દાંતીવાડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આ પરંપરા માત્ર ઉત્સવ નથી, પરંતુ સંસ્કૃતિ અને સંબંધોની મીઠી યાદ છે. આ પર્વે મહિલાઓના પિયરમાં આવવાની અને બાળપણની યાદોને તાજી કરવાની પરંપરા આજીવન જીવંત રહે છે. આ પંથકમાં જન્માષ્ટમીની આ પરંપરાગત ઉજવણી માત્ર એક ધાર્મિક પર્વ નથી, પરંતુ સમાજના સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબ છે. આ રીતે દાંતીવાડા પંથકમાં જન્માષ્ટમીની ઉજવણી અનોખી ઓળખ ધરાવે છે. દાંતીવાડા તાલુકાના આકોલી ગામે વર્ષોથી અલગ અલગ સમાજ દ્રારા કાનુડા બનાવી ઉત્સવ કરવામા આવતો હતો પરંતુ આ વર્ષે ગામના નવનિયુક્ત મહીલા સરપંચ ગોમતીબેન માળી અને ગામના આગેવાનો દ્રારા અલગ અલગ સમાજના બનાવેલ કાનુડા ને એક જ ધાર્મિક જ્ગ્યાએ રાખી ભોજન પ્રસાદી કરાવીને જન્માષ્ટમી પર્વની અનોખી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર