રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા19 જૂન, 2025| Super Admin

થરાદના પાવડાસણ ગામે 500 થી વધુ ગાયોને ખવડાવ્યો લીલો ઘાસચારો

થરાદના પાવડાસણ ગામે 500 થી વધુ ગાયોને ખવડાવ્યો લીલો ઘાસચારો
અન્ય ઉમેદવારો માટે પ્રેરણારૂપ કાર્ય; ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુઓ માટે પાણી અને ઘાસચારાની સમસ્યા વકરી રહી છે, ત્યારે થરાદ તાલુકાના પાવડાસણ ગ્રામ પંચાયતના સરપંચએ નિરાધાર ગાયોને લીલો ઘાસચારો ખવડાવીને અનોખી ગૌસેવા કરી છે. થરાદ તાલુકાના જાણીતા ગૌપ્રેમી વસંતભાઈ દેસાઈની પ્રેરણાથી કાળુભાઈ રબારીએ પાવડાસણ, જડીયાલી, ઘાંણા, નાંદલા અને ભાદરા ગામોમાં રખડતી 500 થી 600 જેટલી ગાયોને એક ગાડી લીલો ઘાસચારો પૂરો પાડ્યો હતો. વસંતભાઈ દેસાઈ પોતે પણ થરાદ તાલુકાના વિવિધ ગામડાઓમાં ફરીને નિરાધાર ગૌવંશ માટે લીલા ઘાસચારાની વ્યવસ્થા કરીને ગૌમાતાની સેવા કરી રહ્યા છે. ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત વસંતભાઈ દેસાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, દરેક ગામડે ગામડે પોતાની ઈચ્છા અનુસાર એક એક ગૌમાતાની સેવા માટે દરેક લોકો આગળ આવે અને ગૌસેવા તરફ વળે. દરેક ગામડે ગૌમાતાઓની સેવા થાય તે માટે દરેક ગામના ગૌભક્તો અને જીવદયા પ્રેમીઓને હું વિનંતી કરું છું.આ પ્રકારના સેવાભાવી કાર્યો સમાજમાં જીવદયા અને પરોપકારનો સંદેશો પ્રસરાવે છે.

સંબંધિત સમાચાર